દહેરાદૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામ પહોચ્યા હતા. અહી તેમણે બાબા કેદારની પૂજા અર્ચના કરી હતી તો કેટલીક નવી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. પીએમ મોદીએ 9.7 કિલોમીટર લાંબા ગૌરીકુંડ-કેદારનાથ રોપ વેની આધારશિલા રાખી હતી, જેનાથી 8 કલાકની મુશ્કેલ સફર માત્ર 30 મિનિટમાં પુરી થઇ જશે. અઢી કલાકના કાર્યક્રમ દરમિયાન પીએમ આદિગુરૂ શંકરાચાર્યની સમાધિ સ્થળ પર પહોચ્યા તો મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથનું નીરિક્ષણ કર્યુ હતુ.
Advertisement
Advertisement
પીએમ મોદી બાબા કેદારનાથ અને બદરી વિશાલના દર્શને એવા સમયે પહોચ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં પણ જલ્દી વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. એવામાં પીએમ મોદીની યાત્રામાં પણ રાજકીય કનેક્શન શોધવામાં આવી રહ્યા છે. પ્રતીકોની રાજનીતિમાં માહેર પીએમ મોદીના કપડાને લઇને પણ ચર્ચા થઇ રહી છે, જેનું કનેક્શન ચૂંટણી રાજ્ય હિમાચલ સાથે છે. પીએમ મોદી કેદારનાથ ધામમાં હેલિકૉપ્ટરથી ઉતર્યા તો ચોલા ડોરામાં જોવા મળ્યા હતા.
હિમાચલ પ્રદેશને સાધ્યુ
કહેવામાં આવે છે કે આ પહેરવેશ હિમાચલના ચંબામાં રહેતી એક મહિલિાએ તૈયાર કર્યા હતા, તેમણે ભેટ તરીકે પીએમ મોદીને આપ્યા હતા. પીએમ મોદીએ તેનો સ્વીકાર કરતા દાવો કર્યો હતો કે તે કોઇ ખાસ પ્રસંગે તેને પહેરશે. આ પરિધાનને પીએમ મોદીએ ઉત્તરાખંડમાં પહેરીને એક પહાડથી બીજા પહાડ સુધી મેસેજ મોકલી દીધો છે. ઉત્તરાખંડમાં સતત બીજી વખત સરકાર બનાવવાના રેકોર્ડ બનાવી ચુકેલી ભાજપે હિમાચલમાં પણ 37 વર્ષ પછી સરકાર રિપીટ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: ભારતીય સેનાએ 1000 સર્વેલન્સ હેલિકોપ્ટર ખરીદવા માટે બહાર પાડ્યું ટેન્ડર
ગુજરાતમાં જશે મેસેજ
રાજકીય જાણકારોની માનીએ તો પીએમ મોદીએ આ દર્શનનો લાભ પાર્ટીને ગુજરાતમાં પણ થશે. સતત 27 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહેલી ભાજપે અહી હિન્દુત્વ સાથે વિકાસના સહારાથી પોતાના મૂળ મજબૂત કર્યા છે. મોદીજીની સફળતા પાછળ આ સૌથી મજબૂત ફૉર્મૂલા જાય છે. કેદારનાથમાં ગુજરાતથી પણ મોટી સંખ્યામાં તીર્થ યાત્રી પહોચે છે. 2013માં આવેલા ભીષણ પૂરમાં અહી ગુજરાતના પણ ઘણા તીર્થયાત્રીઓનો જીવ ગયો હતો, ત્યારથી પીએમ મોદીએ કેદારનાથના કાયાકલ્પમાં રસ દાખવ્યો છે. પીએમ બન્યા બાદ તે છ વખત કેદારનાથ પહોચી ચુક્યા છે અને દર વખતે કઇક ખાસ ભેટ સાથે આવ્યા છે. ગુજરાતમાં બાબા કેદારનાથના ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના મોટાભાગના નેતા સતત પીએમ મોદીની તસવીરો અને વીડિયોને શેર કરતા રહે છે.
Advertisement