નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ઉનાથી દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને ઉદ્દઘાટન કર્યુ છે. આ ટ્રેન નવી દિલ્હીથી ચંદીગઢ થઇને હિમાચલ પ્રદેશના ઉના થઇ અંબ-અંદૌરા સુધી જશે. રેલ મંત્રાલય પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ ટ્રેન નવી દિલ્હીથી સવારે 5.50 વાગ્યે રવાના થશે. આ ઉના હિમાચલ દિવસમાં 10.34 વાગ્યે પહોચી જશે.
Advertisement
Advertisement
તે પછી આ 11.05 વાગ્યે અંબ અંદૌરા પહોચશે. વાપસીમાં આ ટ્રેન અંબ-અંદૌરાથી બપોર પછી એક વાગ્યે રવાના થશે. સાંજે 18.25 વાગ્યે આ ટ્રેન નવી દિલ્હી પહોચી જશે. આ પહેલા દેશમાં ત્રણ વંદે ભારત ટ્રેનનું સંચાલન થઇ ગયુ છે, આ દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. આ માત્ર 52 સેકન્ડમાં 100 કિમી/ કલાકની ઝડપ પકડી લે છે. ટ્રેનની શરૂઆતથી ક્ષેત્રમાં પ્રવાસનને ભાર મળશે.
આ દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
આ પહેલા દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીથી વારાણસી રૂટ પર ચલાવવામાં આવી હતી. બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીથી કટરા વચ્ચે ચલાવવામાં આવી હતી. તે પછી તાજેતરમાં ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઇને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ચાલુ કરવામાં આવી છે જેની પર તાજેતરમાં ટ્રેક પર ગાય-ભેસ આવતા થોડી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram
વંદે ભારત એક્સપ્રેસની વિશેષતાઓ
-
વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાથી લેસ છે.
-
વંદે ભારત ટ્રેનમાં GPS આધારિત ઇન્ફો સિસ્ટમ લાગેલી હશે જે તમને ટ્રેનની લોકેશન વિશે જણાવશે કે તે ક્યા છે
-
આ ટ્રેન સીસીટીવી કેમેરાથી લેસ હશે જેથી તમે પુરી રીતે સુરક્ષાની નજરમાં રહો જેથી કોઇ દૂર્ઘટના થાય તો તમને જોવા મળે
-
વંદે ભારત ટ્રેનમાં વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ છે
-
વંદે ભારત ટ્રેનમાં ઓટો મેટિક સ્લાઇડિંગ ડોરની સુવિધા છે
-
નેકસ્ટ જનરેશનવાળી વંદે ભારત 2.0 ટ્રેનમાં કવચ (ટ્રેન કોલિજન અવૉઇડસ સિસ્ટમ)ની સુવિધા છે
-
ટ્રેન કવચ હેઠળ આ ટ્રેનના દરેક કોચમાં 4 ઇમરજન્સી વિન્ડો જોડવામાં આવી છે
-
વંદે ભારત ટ્રેનમાં 4 ઇમરજન્સી વિન્ડો જોડવાથી મુસાફરી કરનારા મુસાફરોને વધુ સુરક્ષા મળશે
Advertisement