નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આતંકવાદી ધિરાણને રોકવા પર એક બેઠકમાં સામેલ થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ, “આ અદભૂત છે કે આ સમ્મેલન ભારતમાં થઇ રહ્યો છે.”
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દાયકાઓથી અલગ અલગ રૂપમાં આતંકવાદે ભારતને ચોટ પહોચાડવાનો પ્રયાસ કર્યો છે જેને કારણે આપણે હજારો કિંમતી જીવ ગુમાવ્યા છે પરંતુ આપણે આતંકવાદનો બહાદુરીથી મુકાબલો કર્યો. આતંકવાદનો પ્રભાવ ગરીબ અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર પડે છે, પછી તે પ્રવાસન હોય કે વેપાર. કોઇ પણ તે વિસ્તારને પસંદ નથી કરતુ જ્યા સતત ખતરો બનેલો રહે છે, જેને કારણે ત્યા લોકોની આજીવિકા પર પણ અસર પડે છે, માટે આ મહત્વનું છે કે આપણે આતંકવાડના મૂળ પર હુમલો કરીએ.
પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદને ખતમ કરવા માટે એક વ્યાપક, સક્રિય, વ્યવસ્થિત પ્રતિક્રિયાની જરૂરત છે. જો આપણએ ઇચ્છીએ છીએ કે આપણા નાગરિક સુરક્ષિત રહે તો આપણએ ત્યાર સુધી રાહ નથી જોઇ શકતા જ્યાર સુધી આતંક આપણા ઘરમાં ના આવી જાય. આપણે આતંકવાદીઓના નાણા પર ઇજા કરવી જોઇએ. કેટલાક દેશ પોતાની વિદેશ નીતિ હેઠળ આતંકવાદનું સમર્થન કરે છે. તે તેમણે રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાયતા આપે છે. આંતરરાષ્ટ્રીય સંગઠને આ ના વિચારવુ જોઇએ કે યુદ્ધની અનુપસ્થિતિનો અર્થ શાંતિ છે. આ મહત્વપૂર્ણ છે કે આપણે સંયુક્ત રીતે કટ્ટરવાદ અને ઉગ્રવાદની સમસ્યાનું સમાધાન કરીએ. કટ્ટરવાદનું સમર્થન કરનારા કોઇ પણ દેશમાં કોઇ સ્થાન ના હોવુ જોઇએ.
આ ત્રીજુ મંત્રી સ્તરીય સમ્મેલન છે. આ પહેલા આ સમ્મેલન એપ્રિલ 2018માં પેરિસમાં અને નવેમ્બર 2019માં મેલબોર્નમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. સમ્મેલનમાં વિશ્વભરના લગભગ 450 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં મંત્રી, બહુપક્ષીય સંગઠનના પ્રમુખ અને નાણાકીય કાર્ય દળ (FATF)ના પ્રતિનિધિમંડળના પ્રમુખ સામેલ છે.
Advertisement