નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ બ્લૂ કલરનો જેકેટ પહેરીને સંસદ પહોચ્યા હતા. આ જેકેટ પ્લાસ્ટિકની બોટલો PETને રિસાઇકલ કરીને બનાવવામાં આવ્યું છે, તેને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પીએમ મોદીને ઇન્ડિયા એનર્જી વીકમાં ગિફ્ટ આપ્યુ હતુ. વડાપ્રધાન બુધવારે જ્યારે રાજ્યસભા પહોચ્યા તો આ પ્લાસ્ટિકની બોટલોને રિસાઇકલ કરીને બનાવવામાં આવેલુ જેકેટ પહેરેલુ હતુ. હવે આ જેકેટ ચર્ચામાં છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસાઇકલ કરવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલોથી બનેલા જેકેટ પહેરીને સસ્ટેનેબિલિટીનો મેસેજ આપતા સંસદ પહોચ્યા હતા. સોમવારે બેંગલુરૂમાં ઇંડિયા એનર્જી વીકમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પીએમ મોદીને આ જેકેટ ભેટમાં આપ્યુ હતુ. કંપનીએ આ રીતે પ્લાસ્ટિકની ખરાબ બોટલોથી ડ્રેસ બનાવવાની યોજના બનાવી છે. તેને અનબૉટલ્ડ Unbottled ઇનિશિએટિવ નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને દસ કરોડ બોટલોને રિસાઇકલ કરવાનું લક્ષ્ય રાખ્યુ છે.
ઇન્ડિયન ઓઇલ અનુસાર, એક યૂનિફૉર્મને બનાવવામાં કુલ 28 બોટલને રિસાઇકલ કરવામાં આવે છે. આ ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. મહત્વપૂર્ણ છે કે ભારતે જુલાઇ 2022થી કેટલાક સિંગલ યૂઝ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિક એવી આઇટમ હોય છે જેને માત્ર એક વખત ઉપયોગ કર્યા બાદ ફેકી દેવામાં આવે છે. સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.
Advertisement