પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાકાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે.
આ અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી છે. પોતાની અરજીમાં તેણે 2017થી યુપીમાં થયેલા 183 પોલીસ એન્કાઉન્ટરની તપાસની પણ માંગ કરી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શુક્રવારે પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પત્રકારો બનીને આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે.
Advertisement