પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ હવે લંબાવવામાં આવી છે. આગામી 30મી જૂન સુધી આધાર અને પાન નંબરનું લિંકિંગ થઈ શકશે. 1 જુલાઈથી જે લોકો નથી લિંક કરી શક્યા તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે પાન અને આધારની લિંકિંગ માટેની મુદ્દત 30મી જૂન રહેશે.
Advertisement
Advertisement
જો એ પછી પણ લિંક નહીં કરવામાં આવે તો તેવા પાન નંબરનું રિફંડ નહીં મળે. એ ઉપરાંત તેવા પાનનંબર નિષ્ક્રિય થઈ જશે. જે સમય ગાળા દરમ્યાન નિષ્ક્રિય રહેશે તેટલા સમયમાં વ્યાજ ચૂકવવા પાત્ર રહેશે. ટીડીએસ અને ટીસીએસ અધિનિયમની જોગવાઈ મુજબ ઊંચા દરે કપાત એકત્ર કરવામાં આવશે.
અગાઉ સરકારે 31મી માર્ચ સુધીનો સમયગાળો આપ્યો હતો. જે આજે વધુ ત્રણ મહિના વધારી આપ્યો છે.
Advertisement