આગામી ૭મી મેના દિવસે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. તલાટીની પરીક્ષાને લઇને ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે ૪૫૦૦ જેટલી બસોની સંખ્યામાં વધારો કર્યો છે એટલે કે ૬૦ ટકા જેટલી બસોની ફાળવણી એસટી નિગમ દ્વારા કરવામાં આવશે. પરીક્ષાના માહોલ વચ્ચે સ્કૂલમાં વેકેશન હોવાથી દરેક પરીક્ષાર્થીઓએ ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવીને પોતાની બેઠક નક્કી કરે જેથી પરીક્ષાના દિવસના છેલ્લા સમય કોઇ મુશ્કેલીનું નિર્માણ થાય નહીં તે માટે ખાસ ધ્યાન રાખવું જોઇએ.
Advertisement
Advertisement
ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ એ ગાંધીએ મીડિયાને જણાવતા કહ્યું કે, જુનિયર ક્લાર્કલની પરીક્ષામાં ૩૫૦૦ બસો મુકાઇ હતી તેની સામે તલાટીની પરીક્ષામાં ૮.૫૦ લાખથી પણ વધારે ઉમેદવારો પરીક્ષા આપતા હોવાથી ખાસ વ્યવસ્થાના ભાગરૃપે અમે ૪૫૦૦ બસો મુકવાનું આયોજન કર્યું છે.
ઉમેદવારોને પણ ખાસ અપીલ કરીએ છીએ કે, તેઓે જે એસટી બસમાં મુસાફરી કરવાના હોય તો તેઓ એડવાન્સ બુકિંગ કરાવવાથી વ્યવસ્થાનું સંચાલન સારી રીતે થઇ શકશે. પરીક્ષાના દિવસે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેેને લઇને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો ઘરે પરત ફરતા હોય છે ત્યારે ભીડ થતી હોય છે જેથી તમામ એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ ખાસ જાણ કરવામાં આવી છે.
Advertisement