વિકટ પરિસ્થિતિમાં મોટેભાગે દરેક વ્યકિતના મોઢેથી સહજ રીતે બોલાય જાય છે, કે ‘આ દુનિયામાં જેનું કોઇ નથી તેનો ભગવાન છે‘ અને તે ઉક્તિ અરવલ્લીમાં યોજાતા એક લગ્ન પ્રંસગમાં સમરસતાના કિસ્સાને જોઇને સાચી પડી હતી. મોડાસા તાલુકાના લાલપુર (સરડોઇ) ગામમાં ભરથરી પરિવારનું એકમાત્ર ઘર હોવા છતાં દીકરીને પરણાવવા માટે સમગ્ર ગામ હાજર રહ્યું હતું.
Advertisement
Advertisement
ગ્રામજનોએ ભરથરી પરિવારની દીકરીને પોતાની દીકરી માનીને કરિયાવરની વસ્તુઓ ભેટ આપીને કન્યાદાન કરાયું હતું અને જ્યારે દીકરીને સાસરે વળાવી ત્યારે ગ્રામજનોના દરેક વ્યકિતની આંખોમાં આસું સરી પડયા હતા. ગામડાઓમાં આજે પણ એકબીજાને મદદ કરવાની ભાવના જળવાયેલી છે તે રીતે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
ભરથરી પરિવારની દીકરીની સાથે આખું ગામ પડખે ઊભું થઇને લગ્નપ્રંસગમાં યથાયોગ્ય મદદ કરી હતી. ભરથરી પરિવાર ગામ અને તેની આજુબાજુના ગામમાં સામાન્ય રીતે પરંપરાગત રીતે સારંગી વગાડી ઘરનું ગુજરાન ચલાવે છે. દીકરીના લગ્ન લેવાયા હોવાથી જાન પણ આવવાની હતી.
પરિવારની સ્થિતિ સારી ન હોવાથી ઘણી ચિંતામાં હતો ગામના બધા લોકો ભરથરીના ઘરે પહોંચીને તમામ કામ દીલથી કરીને લગ્નને એક યાદગાર બનાવી દીધું છે સાથે ભરથરી દીકરીને લગ્ન કરિયાવરમાં કોઇ કમી રહેવા દીધી ન હતી અને સમાજમાં સમરસતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. ભરથરી પરિવારે દીકરીના લગ્નમાં ગ્રામજનોની કરેલી મદદને જીવનભરનો આભાર માન્યો અને કહ્યું કે, મારી દીકરીના લગ્નમાં ગ્રામજનોના સાથ સહકારથી આજે ઘણો ખુશ છું.
Advertisement