નવી દિલ્હી: વિપક્ષે શનિવારે અદાણી જૂથ સાથે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના સંપર્ક અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મુદ્દે કેન્દ્ર સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.
Advertisement
Advertisement
25 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગ રિસર્ચ ન્યુ યોર્ક સ્થિત રોકાણકાર સંશોધન કંપનીએ અદાણી જૂથ પર ‘સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ’નો આરોપ મૂક્યો હતો. આ આરોપ બાદ ડાઇવર્સિફાઇડ બિઝનેસ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો છે.
આરોપને નકારી કાઢતા, જૂથે કહ્યું હતું કે આરોપો ‘દૂર્ભાગ્યપૂર્ણ, પાયાવિહોણા અને એકતરફી’ છે. અદાણી જૂથે દાવો કર્યો હતો કે આ અહેવાલ મૂડીબજારમાં તેના શેરની જાહેર યાદીને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો.
અહેવાલ જાહેર થયાના એક દિવસ પછી અદાણી જૂથે એક ટૂંકું નિવેદન જારી કરીને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી હતી. કલાકો પછી હિંડનબર્ગ રિસર્ચે ટ્વિટર પર લખ્યું કે અદાણી જૂથે અહેવાલમાં ઉઠાવવામાં આવેલા 88 સીધા પ્રશ્નોમાંથી કોઈનો જવાબ આપ્યો નથી.
1/3#LIC is PUBLIC MONEY!
Post #HindenburgReport , Value of #LIC investment in Adani Group shares have fallen from ₹77,000 CR to ₹53,000 CR- loss of ₹23,500 CR.
Also,LIC shares have lost ₹22,442 CR
Why is LIC still investing ₹300 CR in Adani Group?https://t.co/uJDgTa2l0R
— Randeep Singh Surjewala (@rssurjewala) January 28, 2023
કંપનીએ કહ્યું હતું કે, ‘અમે અમારા રિપોર્ટના નિષ્કર્ષમાં સીધા 88 પ્રશ્નો પૂછ્યા છે. અમને ખાતરી છે કે આનાથી કંપનીને પારદર્શક બનવાની તક મળશે. પરંતુ, હજુ સુધી અદાણી જૂથે આમાંથી કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નથી.
કંપનીએ એમ પણ કહ્યું હતું કે જો અદાણી જૂથ ગંભીર હોય તો તેણે યુએસમાં પણ કેસ દાખલ કરવો જોઈએ, જ્યાં અમે કામ કરીએ છીએ. અમારી પાસે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન માંગવાના દસ્તાવેજોની લાંબી યાદી છે.
LIC-SBIને કરોડો રૂપિયાનું નુકશાન
જોકે, શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય રણદીપ સુરજેવાલાએ અદાણીના શેરના ઘટતા મૂલ્યને કારણે સરકાર-નિયંત્રિત નાણાકીય સંસ્થાઓ (LIC અને SBI)ની માર્કેટ મૂડીમાં ઘટાડો દર્શાવવા માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કર્યો છે.
એલઆઈસીને ‘જાહેર નાણા’ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું તેની નોંધ લેતા સુરજેવાલાએ જણાવ્યું હતું કે હિંડનબર્ગ અહેવાલ બહાર આવ્યા પછી અદાણી જૂથના શેરમાં એલઆઈસીના રોકાણનું મૂલ્ય રૂ. 77,000 કરોડથી ઘટીને રૂ. 53,000 કરોડ થયું હતું, પરિણામે 23,500 કરોડનું નુકસાન થયું હતું. એટલું જ નહીં, LICના શેરને રૂ. 22,442 કરોડનું નુકસાન થયું છે.
2/3
After #HindenburgReport , SBI share’s “market cap” has declined by a whopping ₹ 54,618 CRAlso, Loan Exposure of #SBI and other Banks to Adani Group is ₹ 81,200 CR.
QUESTION IS..
Why are SBI Employees Pension Fund & SBI Life still investing ₹ 225 CR in Adani Group?— Randeep Singh Surjewala (@rssurjewala) January 28, 2023
તેમણે પૂછ્યું કે LIC હજુ પણ અદાણી ગ્રૂપમાં 300 કરોડનું રોકાણ કેમ કરી રહી છે?
SBI અંગે સુરજેવાલાએ કહ્યું કે તેની માર્કેટ મૂડીમાં રૂ. 54,618 કરોડનો મોટો ઘટાડો થયો છે. અદાણી જૂથમાં બેન્કિંગ સેક્ટરનું ધિરાણ એક્સ્પોઝર રૂ. 81,200 કરોડ હતું, તેમણે પ્રશ્ન કર્યો હતો કે એસબીઆઈ એમ્પ્લોઈઝ પેન્શન ફંડ અને એસબીઆઈ લાઈફ હજુ પણ અદાણી જૂથમાં રૂ. 225 કરોડનું રોકાણ કેમ કરી રહી છે.
તેમણે કહ્યું, ’24થી 27 જાન્યુઆરી વચ્ચેના 3 દિવસમાં એકલા SBI અને LICએ તેમના શેરના મૂલ્યમાં ‘માર્કેટ મૂડી’ના રૂ. 78,118 કરોડ ગુમાવ્યા છે! અદાણી જૂથમાં SBIનું ક્રેડિટ રિસ્ક અને LICના રોકાણ મૂલ્યમાં ઘટાડો તેનાથી વધારે છે.
કોંગ્રેસ નેતાએ એ પણ પૂછ્યું કે શું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) જેવી કેન્દ્રીય એજન્સીઓ? તેમજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આ મામલે ‘મૌન’ કેમ છે?
3/3
Between Jan. 24 and 27 i.e in 3 days, #SBI & #LIC have lost “market cap” of ₹ 78,118 CR in value of their shares alone!The Loan Exposure of SBI & Invest Value decline of LIC in Adani Group is in addition thereto.
YET..
RBI,
SEBI,
ED,
SFIO,
CBI,
FM remain on “mute” mode.— Randeep Singh Surjewala (@rssurjewala) January 28, 2023
રાજ્યસભામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના પક્ષના ઉપ-નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ સમાન ચિંતાઓને વ્યક્ત કરી હતી.
તેમને કહ્યું, ‘એલઆઈસીએ પાછલા બે દિવસોમાં પોતાની હોલ્ડિંગમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તેમના શેરોની કિંમત દિવસ દરમિયાન 3.5 ટકા અને બે દિવસોમાં 5.3 ટકા ઘટી ગઈ. આ ભારતીય લોકોની પરસેવાની કમાણી છે, જેને ચૂસવામાં આવી રહી છે. આશા છે કે સેબી અને આરબીઆઈ જોઈ રહી છે અને કાર્યવાહી કરી રહી છે.’
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય જવાહર સરકારે પણ ટ્વિટ કર્યું, સરકારમાં 40 વર્ષ સુધી રહ્યા પછી હું જાણું છુ કે, એલઆઈસીના મોટા રોકાણોને નાણામંત્રી અથવા વડાપ્રધાનની મંજૂરીની જરૂરત હોય છે. ખ્યાલ નહીં તેઓ મધ્ય વર્ગની જરૂરતોને પૂરી કરનારી એક ઉત્કૃષ્ઠ સંસ્થાને નષ્ટ કરવા પર ઉતારૂ છે.
I know from 40 years in Govt that LIC’s big investments need a nod from FM or PM. Don’t know why they’re out to destroy an excellent institution that caters to middle class! pic.twitter.com/w4EVuTAJ81
— Jawhar Sircar (@jawharsircar) January 27, 2023
તેમણે આગળ કહ્યું, ‘સ્વિસ ક્રેડિટ સાઇટ્સે ઘણા સમય પહેલા ચેતવણી આપી હતી. મોદી સરકારે સાંભળ્યું નહીં. અમારી બેંકો હવે પડી ભાંગશે. તમારા પૈસા, મારા પૈસા ડૂબી જશે, જ્યારે અદાણી કોઈપણ દંડ વગર ફ્રી થઈ જશે!’
રવિવારે એક ટ્વિટમાં, તેમણે જણાવ્યું હતું કે, અદાણી કૌભાંડ દર્શાવે છે કે કેવી રીતે તમામ નિયમનકારી સંસ્થાઓ – આરબીઆઈ, નાણા મંત્રાલય, સેબી, ઇડી સીબીઆઈ, એનએસઈ વગેરે – નિષ્ફળ ગઈ છે અથવા તેમને નિષ્ફળ કરી દેવામાં આવી છે. આ બધા મોદીના પોતાના માણસોથી ભરેલા છે. ખબર નહીં આ મોદી મિત્રને કારણે ભારત કેટલું ગુમાવશે.
Advertisement