વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના કપરાડાના નાના પૌઢા પહોચ્યા હતા જ્યા PM મોદીએ લોકોનું અભિવાદન જીલ્યુ હતુ અને જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યુ કે ચૂંટણી જાહેર થયા પછી આદિવાસી વિસ્તારમાં મારો પ્રથમ કાર્યક્રમ છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો મારો પ્રથમ કાર્યક્રમ આદિવાસી ભાઇ બહેનો વચ્ચે રાખ્યો છે તેનો મને આનંદ છે. મારે માટે A ફોર આદિવાસી, મારી ABCD જ શરૂ થાય એ ફોર આદિવાસી એટલે મારે માટે આ અત્યંત સૌભાગ્યની ક્ષણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ગુજરાતના લોકોએ પણ ફરી એક વખત ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધુ છે. આટલુ જ નહી જૂના બધા રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધુ છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે તેટલો હું આપીશ. હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છુ, આ વખતે, મને મારા રેકોર્ડ તોડવા માટે આખુ ગુજરાત મદદ કરશે. આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ તેની માટે મારે કામ કરવુ છે. દેશ જ નહી દુનિયામાં કદાચ નિરંતર આટલો બધો વિશ્વાસ વધતો જાય, જનસમર્થન મળતુ જાય અને નવી પેઢી આવતી જાય. આ વખતે પણ ગુજરાતની અંદર જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો લઇને નીકળી પડી છે. આ ચૂંટણી ભાજપ નથી લડતુ આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે અને ના તો નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો ગુજરાતના ભાઇઓ-બહેનો લડે છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે લેખિતમાં આપ્યુ- ગુજરાતમાં 5 બેઠક પણ કોંગ્રેસ નહી જીતે
અમારૂ સૌભાગ્ય છે કે ગુજરાતની મારી પ્રથમ ચૂંટણી સભા આદિવાસી વિસ્તારથી શરૂ થાય. કાશીમાં હું એમપી મહાદેવના આશીર્વાદ લઇને એમપી બન્યો અને તમે બધાએ પીએમ બનાવી દીધો. આ વિસ્તાર મારા માટે નવો નથી, અહીના ક્ષેત્રમાં વર્ષો સુધી અહીયા રહીને પ્રવાસો કર્યા, તમારા લોકોની વચ્ચેથી ઘણુ શીખવા મળ્યુ.
આપણે ગુજરાતના લોકો એવા છીએ, જે ખભે ખભો મીલાવીને સાથે રહીને સંપૂર્ણ ગુજરાતનો વિકાસ કરીએ, સમાજનો વિકાસ કરીએ તેવો આપણા માટે અવસર છે અને તેમાં આપણે પાછીપાની કરતા નથી. ધરમપુર અનેક રીતે ઓળખાતુ રહ્યુ છે, ધરમપુર સંગીતની દુનિયામાં ઘણુ કામ કરતુ હતુ. શ્રી રાજચંદ્ર મિશનથી જાણીતુ થયુ છે. ગુજરાતના સામાન્ય પરિવારમાં જન્મેલ બાળક શ્રીમદ રાજચંદ્રજી ગાંધીજીના જીવનમાં મોટી પ્રેરણા રહી છે.
Advertisement