રાહુલ ગાંધીને ભગવાન રામ કહેવાના નિવેદન પર હવે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે સ્પષ્ટતા કરી છે.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સલમાન ખુર્શીદે કહ્યું, “રાહુલ ગાંધી ભગવાન રામ નથી, પરંતુ તેઓ ભગવાન રામના બતાવેલા માર્ગ પર ચાલી શકે છે.”
“તેઓ (ભાજપ) કહી રહી છે કે તમને તે માર્ગ પર ચાલવાનો કોઈ અધિકાર નથી, તેથી અમને વાંધો એટલા માટે છે કે તે (ભાજપ) રામના નહીં પણ રાવણના માર્ગે ચાલે છે.
આ પહેલા સલમાન ખુર્શીદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના ‘ભગવાન રામ’ સાથે કરી હતી.
‘ભારત જોડો યાત્રા’ના ભાગરૂપે ઉત્તર પ્રદેશના હાપુડમાં મીડિયાને સંબોધતા ખુર્શીદે રાહુલ ગાંધીને એક મહાન વ્યક્તિ અને યોગી ગણાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, “તમે જાણો છો કે ભગવાન રામના પાદૂકા ખૂબ આગળ સુધી જાય છે. ઘણી વખત કેટલાક લોકોને પાદૂકાઓ સાથે ચાલવું પડે છે. ભગવાન રામ હંમેશા પહોંચી શકતા નથી, આવી સ્થિતિમાં તેમની પાદૂકાઓ લઇને ચાલવું પડે છે, ભરત તેમની પાદૂકાઓ લઇને ચાલતા હતા. અમે પાદૂકાઓ લઇને ઉત્તર પ્રદેશમાં ચાલીયે છીએ. ઉત્તર પ્રદેશમાં તેમની પાદૂકાઓ પહોંચી ગઇ છે, તો રામ પણ પહોંચશે તેનો અમને વિશ્વાસ છે.
ભાજપે આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, “નારાયણ સાથે નારની સરખામણી કરવાનું કોઈ યોગ્ય નહીં ગણે. આ ચુસ્તતાની ઊંચાઈ છે.”
“રાહુલ જી ક્યાં 10 જનપથ પર રહે છે અને રામ ક્યાં છે જે તેના પિતાના આદેશ પર જંગલથી જંગલમાં ફરે છે. જ્યાં તેણે રીંછ અને વાંદરાઓની સેના સાથે રાષ્ટ્રની પૂજા કરી અને લંકાનો નાશ કર્યો. સીમા પર આપણા જવાનોનું અપમાન કરનારને તમે રામ સાથે ક્યાં સરખાવો છો.
Advertisement