નવી દિલ્હી: આજે મલ્લિકાર્જૂન ખડગે દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યા પછી સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે તે રાહત અનુભવી રહ્યાં છે. તેમને કહ્યું કે, મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી તેમના માથા પરથી ભાર ઉતરી ગયું છે અને જવાબદારીમાંથી મુક્ત થઇ ગયા છે.
Advertisement
Advertisement
સોનિયા ગાંધીએ કહ્યું, “મેં હાલમાં જ કહ્યું કે હું રાહત અનુભવી રહી છું. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે, રાહત તે માટે કે તમે આટલા વર્ષો સુધી પ્રેમ અને સન્માન આપ્યું છે, તે મારા માટે ગૌરવની વાત છે. આની અનુભૂતિ મને મારા જીવનના અંતિમ શ્વાંસ સુધી રહેશે”
“પરંતુ આ સમ્માન એક ખુબ જ મોટી જવાબદારી પણ હતી. મેં પોતાની ક્ષમતા અને યોગ્યતા અનુસાર જેટલું બન્યું તેટલું કામ કર્યું. આજે હું આ જવાબદારીમાંથી મુક્ત થઇ જઇશ. આ ભાર મારા માથા પરથી ઉતરી જશે, તેથી સ્વભાવિક રૂપથી મને રાહતની અનુભવી રહી છું. હું બધાને દિલથી ધન્યવાદ આપું છુ કે તમે તમારા સહયોગ અને સમર્થન મને આપ્યો. હવે આ જવાબદારી ખડગેજી પર આવી ગઇ છે.”
મલ્લિકાર્જૂન ખડગેથી પહેલા સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ હતા. રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદ છોડ્યા પછી તે જવાબદારીને નિભાવી રહ્યાં હતા.
પ્રિયંકા ગાંધીએ આ અવસર પર પોતાના માં સોનિયા ગાંધી માટે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમાળ સંદેશ લખ્યો છે. તેમને લખ્યું કે, “માં, મને તમારા પર ગર્વ છે. દુનિયા ભલે ગમે તે કહે. મને કોઈ જ ફર્ક પડતો નથી કેમ કે હું જાણું છુ કે તમે બધુ જ પ્રેમ માટે કર્યું.”
Advertisement