અમદાવાદ: બિલકિસ બાનોના આરોપીઓની રિહાઇનો કેસ એક વખત ફરીથી ચર્ચમાં આવી ગયો છે. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે રિહાઇથી પહેલા આ દોષી 1000 દિવસથી વધારે સમય સુધી જેલમાંથી બહાર હતા. 11માંથી એક એક આરોપી તો 1500થી વધારે દિવસથી પણ વધારે સમય સુધી જેલમાંથી બહાર રહ્યો હતો. આમાં પેરોલ અને ફર્લો બંને સામેલ છે. જણાવી દઈએ કે, આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
Advertisement
Advertisement
શું છે આરોપીઓને રિહાઇનો મામલો?
2002ના ગુજરાતના રમખાણો દરમિયાન બિલકીસ બાનો સાથે ગેંગરેપ કરવાાં આવ્યો હતો. તે સમયે બિલકિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. દંગાખોરોએ તેમની ત્રણ વર્ષિય પુત્રી સહિત પરિવારના સાત લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હત્યાકાંડની આજીવન સજા કાપી રહેલા તમામ 11 આરોપીઓને સ્વતંત્રતા દિવસના અવસરે માફી નીતિ હેઠળ છોડી મૂકવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે.
1500થી વધારે દિવસ સુધી બહાર રહ્યાં દોષી
અદાલતી દસ્તાવેજથી માહિતી સામે આવી રહી છે કે, આ બધા દોષી 14 વર્ષની સજા દરમિયાન 1000 દિવસથી વધારે જેલમાંથી બહાર રહ્યાં છે. આમાંથી એક આરોપી રમેશ ચૌહાણ 1,198 દિવસોની પેરોલ અને 378 દિવસનો ફર્લો સહિત કુલ 1576 દિવસ જેલમાંથી બહાર રહ્યો. જ્યારે બે અન્ય આરોપીઓ 1200 દિવસથી વધારે દિવસ જેલમાંથી બહાર રહ્યાં.
પાંચ મહિનાની ગર્ભવતી માતા ઉપર બળાત્કાર, ત્રણ વર્ષની ફુલ જેવી બાળકીને ઘાતકી હત્યા અને તે સહિત સિવાય પરિવારના અન્ય 6 લોકોને બેરહમીથી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને તેમના સારા વ્યવાહરના કારણે છોડી મૂકવામાં આવી રહ્યાં છે. સરકાર આરોપીઓની સાઇડ લઇ રહી છે અને કહી રહી છે કે, તેમને તેમની સજા ભોગવી લીધી છે.
ટૂંકમાં કહીએ તો હવે હિચકારૂં હત્યાકાંડ કર્યા પછી જેલમાંથી સારો વ્યવહાર દર્શાવીને છૂટવાનો રસ્તો સાફ થઇ ગયો છે. જોકે તેના માટે કેટલીક શરતોને તમારે ધ્યાનમાં રાખવી પડશે. તે શરતો કઇ છે તે તમારે તમારા કોઠા સૂઝ દ્વારા નક્કી કરી લેવાનું છે. કેમ કે કેવો સારો વ્યવહાર પસંદ કરવામાં આવે છે, તે નક્કી તો જે-તે સત્તાધીશો જ કરશે. તેથી હત્યાકાંડથી લઇને જેલમાં કરેલા તમામ વ્યવહારો પસંદ આવવા જરૂરી છે. તો જ માફી મળવાની શક્યતા છે.
કોણ કેટલા દિવસ બહાર રહ્યું?
જસવંત ચતુર વાળંદને સજા દરમિયાન 929 દિવસની પેરોલ, 219 દિવસની ફર્લો
ગોવિંદ વાળંદને 986 દિવસની પેરોલ, 216 ફર્લો મળે
શૈલેષ ભટ્ટને 934 દિવસની પેરોલ, 163 ફર્લો મળે
બિપિનચંદ્ર જોશીને 909 દિવસની પેરોલ, 170 ફર્લો
પ્રદીપ મોડિયાને 1,011 દિવસની પેરોલ, 223 ફર્લો
વકા વાડાણીયાને 807 દિવસની પેરોલ, 191 ફર્લો
રાજી સોનીને 1,186 દિવસની પેરોલ, 182 ફર્લો મળે
રમેશ ચૌહાણને 1,198 દિવસની પેરોલ, 378 ફર્લો
1,000 દિવસોથી વધારે બહાર રહ્યાં આરોપી
મિતેષ ભટ્ટને 734 દિવસોની પેરોલ, 234 ફર્લો અને રાધેશ્યામ શાહને 895 દિવસની પેરોલ અને 154 દિવસના ફર્લો મળી છે. એટલે આ કેદી સજા દરમિયાન કુલ 1000 દિવસથી વધારે દિવસો સુધી બહાર રહ્યાં છે.
શું હોય છે ફર્લો અને પેરોલ?
સજા કાપી રહેલા કેદીઓનું માનસિક સંતુલન બનાવી રાખવા અને જેલની નીરસતાને તોડવા માટે ફર્લો આપવામાં આવે છે. એક વખતમાં વધુમાં વધુ 14 દિવસો સુધી ફર્લો આપવામાં આવી શકે છે. આ આરોપીનો અધિકાર હોય છે.
પેરોલની વાત કરે તો આ એક પ્રકારથી અસ્થાયી રિહાઇ હોય છે. પેરોલ માટે કેદી અદાલતને નિવેદન કરી શકે છે. બધા તથ્યોને ધ્યાનમાં રાખીને અદાલત પેરોલનો સમયગાળો નિર્ધારિત કરે છે.
કેન્દ્રની મંજૂરીથી રિહા થયા બધા દોષી
ગુજરાત સરકારે બિલકિસ બાનો સાથે ગેંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી પછિ રિહા કર્યા, જ્યારે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ તેમની રિહાઇનો વિરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ આપીને જણાવ્યું છે કે, આ દોષીઓના સારા વ્યવહારને જોતા રિહાઇ આપવામાં આવી છે અને કેન્દ્ર બે સપ્તાહની અંદર તેમની રિહાઈને મંજૂરી આપી હતી.
Advertisement