કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે આ એક ભીષણ અકસ્માત છે. અમે તમામ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરીએ છીએ. રેલવેની ટીમ, NDRF, SDRF ગઈ રાતથી બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માતમાં જેમના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સરકાર તેમને શક્ય તમામ મદદ કરશે. રેલવેએ ગઈકાલે જ વળતરની જાહેરાત કરી હતી, તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.
Advertisement
Advertisement
પહેલા બચાવ અને રાહત પર ધ્યાન: અશ્વિની વૈષ્ણવ
ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવ અધિકારીઓ પાસેથી અકસ્માત વિશેની માહિતી લઈ રહ્યા છે. વિપક્ષ તમારા રાજીનામાની માંગ કરી રહ્યો છે તેવા પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓમાં માનવીય સંવેદનશીલતા ખૂબ જ જરૂરી છે. હું કહીશ કે પ્રથમ ધ્યાન બચાવ અને રાહત કામગીરી પર છે. રેલ્વે, NDRF,SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે. રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ પુનઃસ્થાપન કાર્ય શરૂ કરવામાં આવશે. પુનઃસ્થાપન માટેના મશીનો પહેલેથી જ મૂકી દેવાયા છે.
આ ઉપરાંત, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, તે દરમિયાન તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી બાજુ, ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું કે ઓળખાયેલા મૃતદેહોને તેમના સંબંધીઓને સોંપવામાં આવી રહ્યા છે અથવા પોસ્ટમોર્ટમ પછી તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે. જે લોકોની ઓળખ થઈ શકતી નથી તેમના માટે કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવશે.
ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે શું આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરું હોઈ શકે છે, જેના પર તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ બાદ જ આ અંગે કંઈક કહી શકાશે. રેલ્વે મંત્રીએ અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. ઘાયલોને સારી સારવાર આપવા માટે ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. રેલ સેફ્ટી કમિશનરને પણ અકસ્માતની તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
Advertisement