ધર્મગુરુ રાધે માના પુત્ર હરજિન્દર સિંઘ રણદીપ હુડ્ડાની ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’થી ઓટીટી પર ડેબ્યૂ કરી રહ્યા છે. તેઓ વેબ સિરીઝમાં એસટીએફ ઓફિસરની એક ભૂમિકા ભજવી રહ્યો છે. આના પર હરજિન્દર સિંઘે કહ્યં કે, ઈન્સ્પેક્ટર અવિનાશ ખૂબ જ રસપ્રદ પ્રોજેક્ટ છે અને તે એક લાંબી સિરીઝ પણ છે. એક સારી વાત એ છે કે અભિનેતા પાસે દર્શકો સાથે સમય પસાર કરવાનો સમય છે. તેથી દરેક એપિસોડ સાથે પાત્ર વધુ સારું બને છે.
હું એક યુવાન અને ગતિશીલ એસટીએફ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છું જેને તાજેતરમાં યુપીમાં વધતા ક્રાઈમ સિન્ડિકેટની તપાસ માટે ભરતી કરવામાં આવી છે. તે તેની ક્ષમતાને સાબિત કરવાનો અને વિભાગમાં એક છાપ છોડવાનો પ્રયાસ કરે છે.
હરજિન્દર પોતાની કારકિર્દીમાં આગળ પણ પોતાને અલગ-અલગ પ્રકારના રોલ કરતાં જોવા માંગે છે. જેના પર તેઓ કહે છે કે, હું માત્ર એક સેલિબ્રિટી તરીકે જ નહીં પરંતુ એક અભિનેતા તરીકે પણ આગળ વધવા માંગુ છું. હું એક બિઝનેસ ફેમિલીનો છું જેણે ઘણી વસ્તુઓમાં રોકાણ કર્યું છે અને મારા પરિવારે મને મારા સપનાને અનુસરવાનું શીખવ્યું છે. જો હું અભિનયમાં સારું નહીં કરી શકું તો હું ફેમિલી બિઝનેસમાં જોડાઈશ.
Advertisement