વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ગુલામીની માનસિકતાનો અંત લાવ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. તેમનો રાજ્યાભિષેક સમયનું અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત ઘટકો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું.
Advertisement
Advertisement
શિવાજીએ આત્મવિશ્વાસ જગાડ્યો – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, સેંકડો વર્ષની ગુલામીએ દેશવાસીઓ પાસેથી તેમનો વિશ્વાસ છીનવી લીધો હતો, તેવા સમયમાં લોકોમાં વિશ્વાસ જગાવવો એક મુશ્કેલ કામ હતું. તે સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ માત્ર આક્રમણકારોનો સામનો કર્યો એટલું નહીં પરંતુ લોકોમાં એવો વિશ્વાસ પણ જગાડ્યો કે સ્વ-શાસન શક્ય છે. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનમાં છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ જોઈ શકાય છે.
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ પર રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર મહારાષ્ટ્રમાં આજનો દિવસ એક તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રીયતાનો જય જયકાર તેમાં સામેલ હતો.
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ નિમિત્તે નાગપુરમાં ‘શિવરાજ્યાભિષેક’ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ ભાગ લીધો છે.
Advertisement