ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્ઝ ટ્રેનને સંડોવતા અકસ્માતમાં ઓછામાં ઓછા 261 લોકો માર્યા ગયા હતા અને 900 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અગાઉ, 238 પેસેન્જરોના મૃત્યુના અહેવાલ હતા, હવે મૃત્યુઆંક વધીને 261 પર પહોંચી ગયો છે. બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને અકસ્માત સ્થળ પર પુનઃસ્થાપન કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, વિશ્વભરમાંથી શોક સંદેશાઓ અને પ્રતિક્રિયાઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે.
Advertisement
Advertisement
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને એક ટ્વીટમાં કહ્યું, “હું ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરું છું. ભારતના લોકોના દુ:ખના આ સમયમાં અમે તેમની સાથે છીએ. ”
I express my deepest condolences to the families of the victims of the Odisha train accident and wish a speedy recovery to the injured. The people of India are in our thoughts in this time of sorrow. Europe mourns with you: European Commission President Ursula von der Leyen… pic.twitter.com/VGF5yN2GHD
— ANI (@ANI) June 3, 2023
જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ પીએમ નરેન્દ્ર મોદીને પાઠવેલા એક સંદેશમાં જણાવ્યું હતું કે, “ઓડિશા રાજ્યમાં ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણાં ઘાયલ થયાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. જાપાન સરકાર અને લોકો વતી , હું જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે તેમના અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ પ્રાર્થના કરું છું.”
PM Modi @narendramodi, I am deeply saddened by the news of the loss of many precious lives and the injuries in the train accident in the State of Odisha. On behalf of the Government of Japan and people,
— 岸田文雄 (@kishida230) June 3, 2023
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતના ઓડિશા રાજ્યમાં થયેલા ગમખ્વાર ટ્રેન અકસ્માત પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સંવેદના મોકલી છે. ભારતમાં રશિયન દૂતાવાસે કહ્યું, સંદેશમાં લખ્યું છે કે, “અમે આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના દુઃખમાં સહભાગી છીએ અને ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”
યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ એક ટ્વીટમાં કહ્યું, “…પીડિતોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના..
ભારત ખાતેના યુએસ એમ્બેસેડર, એરિક ગારસેટી, જેમણે તાજેતરમાં દેશના ઘણા ભાગોમાં પ્રવાસ કર્યો હતો, તેમણે એક ટ્વીટમાં આ દુ: ખદ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતોના પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના સેનેટર પેની વોંગે પણ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં ભયાનક ટ્રેન દુર્ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ એક ટ્વિટમાં ઓડિશાની ટ્રેન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ ટ્રુડોએ ટ્વીટ કર્યું, “ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની તસવીરો અને અહેવાલોથી હું ખૂબ દુઃખી થયો છું. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના પાઠવું છું, અને ઘાયલો જલદી સાજા થવાની કામના કરું છું. આ મુશ્કેલ સમયે કેનેડાવાસીઓ ભારતના લોકોની સાથે છે.”
નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે જણાવ્યું હતું કે “ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં ડઝનેક લોકોના મોત” વિશે જાણીને દુઃખ થયું છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે આ ભીષણ ટ્રેન દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું, “ભારતમાં એક ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોના જીવ ગુમાવ્યા તેનાથી હું ખૂબ જ દુઃખી છું..”
તુર્કીયેએ બાલાસોર ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના સંબંધીઓ તેમજ દેશનાલોકો અને ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પાઠવી હતી .
Advertisement