મહારાષ્ટ્રના નાશિકના બિલ્ડરો પર આઈટીની રેડમાં 3,333 કરોડના બેનામી વહેવારો પકડાયા છે. નાશિકના સાત મોટા બિલ્ડરો પર આઈટીએ આ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી છેલ્લા છ-સાત દિવસથી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ 3,333 કરોડના બે હિસાબી વહેવારો બહાર આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સાડા પાંચ કરોડની રોકડ રકમ, દાગીના પણ જપ્ત કરાયા હતા.
આયકર વિભાગની મહારાષ્ટ્રની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં નાશિક આઈટી વિભાગ સાથે જ છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ), થાણે, પુણે, મુંબઈ, નાગપુર આઈટી વિભાગના કુલ મળી 225 અધિકારી-કર્મચારી જોડાયા હતા. આ મસમોટી ટીમે બિલ્ડરોની 40થી 50 ઓફિસ, બંગલા, ફાર્મ હાઉસ પર છાપા માર્યા હતા.
આ સાથે 150થી વધુ પોલીસની ટીમ પણ સપોર્ટમાં હતી. આ કાર્યવાહીથી કાળા નાણાંના મોટા વહેવારો બહાર લાવવા પ્રયાસ હતા.
Advertisement