છેલ્લા પંદર દિવસથી બંગાળની ખાડી ફરતે આવેલા દેશોમાં ચિંતાનું મોજું પ્રસરાવનાર મોચાએ મ્યાનમારના દરિયાકિનારેથી પ્રવેશ કરીને તબાહી મચાવી દીધી હતી જેમાં અત્યાર સુધીમાં 81ના મોત થયા છે.
Advertisement
Advertisement
બંગાળની ખાડીમાં બનેલું આ વાવાઝોડું 200થી વધુ પવનની ગતિ ધરાવતું હોવાથી ભારત, બાંગ્લાદેશ, મ્યાનમારના કિનારાઓ પર સતત ખતરો તોળાતો હતો. તા.13મી પછી આ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર તરફ અને એ પછી પૂર્વીય કિનારાઓ તરફ ફંટાયું હતું. આખરે મ્યાનમારના કિનારમાં પ્રવેશ કરીને આ વાવાઝોડાએ 210 કિમી પવનની ગતિએ તબાહી મચાવી હતી.
વાવાઝોડાની તીવ્રતા અસામાન્ય હતી. ભારતે વાવાઝોડાના આગમન પહેલાં જ એનડીઆરએફની ટીમોને તૈનાત રાખી હતી. પરંતુ ભારતમાં મોચા ન આવતાં સરકારે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ મ્યાનમારમાં આ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે મ્યાનમારમાં 81 જણાંના મોત થયા છે.
હજુ કોઈ સત્તાવાર આંકડો બહાર આવ્યો નથી. પરંતુ પ્રસ્તુત આંકડાથી વધારે હોવાની આશંકા છે.
Advertisement