રાજસ્થાનના હનુમાનગઢ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે એરફોર્સનું મિગ-21 ક્રેશ થયાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટેક ઓફ થયાના 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
Advertisement
Advertisement
દુર્ઘટના પહેલા બંને પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયા હોવાના કારણે તેમના જીવ બચી ગયા હતા. જોકે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં એક ગ્રામીણ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે.
ભારતીય વાયુસેનાએ દુર્ઘટના બાદ તરત જ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટેકઓફ કર્યા પછી વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી.
આજે સાંજે લગભગ 5:30 વાગ્યે પશ્ચિમી સેક્ટરમાં પ્રશિક્ષણ માટે એરબોર્ન કરાયેલ એક IAF મિગ-21 બાઇસન એરક્રાફ્ટ, ટેકઓફ પછી તકનીકી ખામીનો ખ્યાલ આવ્યો થયો. પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો.
અકસ્માત પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં એક ઝૂંપડીમાંથી ધુમાડો નીકળતો દેખાય છે જેમાં આગ લાગી હતી અને પાયલટને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.
બાડમેરના પોલીસ અધિક્ષક આનંદ શર્માએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “ફાઈટર પ્લેન ક્રેશ થવાને કારણે એક નાગરિક જાનહાનિ થઈ છે. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.”
આ વર્ષે મિગ-21 સાથે થયેલો આ ચોથો અકસ્માત છે. મે મહિનામાં પંજાબમાં મિગ-21 એરક્રાફ્ટ દુર્ઘટનામાં એરફોર્સના પાયલોટનું મોત થયું હતું. માર્ચમાં એરફોર્સના એક ગ્રુપ કેપ્ટનનું મૃત્યુ થયું હતું જ્યારે વિમાન લડાઇ પ્રશિક્ષણ મિશન માટે ઉડાન ભરી રહ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં IAF એ રાજસ્થાનના સુરતગઢ નજીક મિગ-21 એરક્રાફ્ટ ક્રેશની જાણ કરી હતી.
Advertisement