કેરલના મલપ્પુરમમાં એક નાવ ડૂબવાની દુ:ખદ ઘટના સામે આવી હતી. હવે આ અકસ્માતમાં મરનારાઓની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.
Advertisement
Advertisement
આ ઘટના રવિવાર સાંજની છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં એનડીઆરએફ અધિકારી શિજૂ કેકેએ કહ્યું કે અત્યાર સુધી તેમને 21 મૃતદેહ મળ્યા છે.
તેમણે કહ્યું, નાવ પર સવાર લોકોની સંખ્યાનો કોઈ ચોક્કસ આંકડો નથી, તેથી અમે તેની માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યાં છીએ કે અન્ય લોકો પણ નીચે કિચડમાં ફસાઈ તો ગયા નથી ને?
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે સ્થિતિનું મૂલ્યાંકન કરવા મોડી રાત્રે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે ઘાયલોને સારી સારવાર આપવા સૂચના આપી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યાથી મૃતકો નું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે.
કેરળના મુખ્યમંત્રી વિજય પિનરાઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં તેણે લખ્યું, “મલપ્પુરમમાં તનુર બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે, જેની દેખરેખ ઘણા કેબિનેટ મંત્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
તેઓ સોમવારે સ્થળની મુલાકાત લેશે.
આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતરની જાહેરાત કરી છે.
PMએ ટ્વિટ કર્યું કે, ‘કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
Advertisement