ભારતે યુકેના પ્રતિષ્ઠિત મ્યુઝિયમમાંથી કોહિનૂર હીરા અને શિલ્પો સહિતની અન્ય કલાકૃતિઓ પરત લાવવા માટે વિવિધ રાજકીય પગલાંઓ લીધે છે, આ પ્રકારના અહેવાલોને બ્રિટીશ મીડિયાએ નકારી કાઢ્યા છે.
મળતી માહિતી અનુસાર, તે સાચું નથી કે યુકેથી હજારો કલાકૃતિઓ પરત આવે તે સુનિશ્ચિત કરવા માટે મંત્રી અને રાજદ્વારી સંસાધનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં અધિકારીએ કોહિનૂરનો ક્યારેય ઉલ્લેખ ન હતો.
સૂત્રો દ્વારા ટાંકવામાં આવેલા અહેવાલોમાં જણાવાયું છે કે, દ્વિપક્ષીય સહકાર અને ભાગીદારી દ્વારા પ્રાચીન વસ્તુઓની પુનઃપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે હાલની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓને અનુરુપ છે. આ પ્રક્રિયા ભૂતકાળમાં પણ થઈ રહી છે અને ઘણા દેશો સાથે થઈ છે જ્યાં ભારતીય કલાકૃતિઓ છે. કોહિનૂર ગયા અઠવાડિયે લંડનના પ્રિન્સના રાજ્યાભિષેક સમયે સમાચારોમાં આવ્યો હતો.
કોહિનૂરનો શું છે ઈતિહાસ
105 કેરેટનો આ હીરો મહારાજ રણજિતસિંહની તિજોરીમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં આવ્ય તે પહેલાં તે ભારતના શાસકોની માલિકીનો હતો અને ત્યારબાદ પંજાબના વિલિનીકરણ બાદ રાણી વિક્ટોરિયાને ભેટ આપવામાં આવ્યો હતો.
ડેઈલી ટેલિગ્રાફ સમાચારપત્રએ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે કોહિનૂરને પાછો લાવવાનો મુદ્દો ભારત સરકારની પ્રાથમિકતાઓમાંનો એક છે.
ભારત સરકાર સાત ચોરાયેલી કલાકૃતિ વિદેશથી પરત લવાશે
તાજેતરના વર્ષોમાં સ્વેદશાગમન તરફના અન્ય સાંસ્કૃતિક પ્રવાહો પણ રહ્યા છે, જેમાં ગ્રીસ એલ્ગિન માર્બલ્સ અને નાઈજિરિયા બેનિન બ્રોન્ઝની શોધ કરી રહ્યું છે. ગયા વર્ષે ગ્લાસગો લાઈફ- એક સંસ્થા જે સ્કોટિશ સિટી મ્યુઝિયમનું સંચાલન કરે છે – તેણે ભારત સરકાર સાથે સાત ચોરી કરેલી કલાકૃતિઓને ભારતમાં પરત લાવવા માટે એક કરાક પર હસ્તાક્ષર કર્યા હતા.
આમાંની મોટાભાગની વસ્તુઓ 19મી સદી દરમિયાન ઉત્તર ભારતના વિવિધ રાજ્યોના મંદિરો અને ધાર્મિક સ્થળોએથી દૂર કરવામાં આવી હતી, જ્યારે એક વસ્તુ માલિક પાસેથી ચોરી બાદ ખરીદવામાં આવી હતી. ગ્લાસગો લાઈફના જણાવ્યા અનુસાર, ગ્લાસગોના કલેક્શનને આ સાતેય કલાકૃતિઓ ભેટમાં આપવામાં આવી હતી.
Advertisement