વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળીની મુલાકાત લે તે પહેલાં ધમકીભર્યો પત્ર મળતા આખા કેરળમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. પત્ર મોકલનારે પીએમ મોદીની ૨૪ એપ્રિલે કોચ્ચિની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખ્યું હોવાથી પોલીસ ત્યાં પહોંચી હતી અને તે વ્યકિત ડરી ગયો હતો અને તમામ આરોપોનો ઇન્કાર કરી દીધો હતો. તેમજ પોલીસને જણાવ્યું કે, કોઇએ તેને ફસાવવા માટે તેના નામનો પત્ર લખ્યો છે. મને આ ઘટના અંગે કોઇપણ પ્રકારની જાણ નથી. ધમકીભર્યો પત્ર મળ્યા પછી કેરળમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે સાથે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પત્ર કોચ્ચીમાં રહેનારા વ્યક્તિએ મલયાલમમાં લખ્યો હતો. આ પત્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રને મોકલ્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી પત્ર સોંપી દીધો હતો. પત્ર પર લખેલી વિગતોને આધારે પોલીસે એન.કે.જોની નામના વ્યકિતને ત્યાં પહોંચી હતી. મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ભાગ્યનો સામનો કરવો પડશે. કોચ્ચીના મૂળ નિવાસી જોનીએ આ પત્ર લખ્યો હોવાનું ઇન્કાર કર્યો છે. સાથે જોનીએ આરોપ લગાવતા કહ્યું કે, હત્યાની ધમકી પાછળ એક વ્યક્તિ હોઇ શકે છે જે તેનાથી નારાજ છે. જોનીએ પત્રકારોને કહ્યું કે, પોલીસ તેના ઘરે આવી હતી અને પત્ર અંગે પૂછપરછ કરી હતી. સુરક્ષાને ધ્યાને રાખી અધિક પોલીસ મહાનિર્દેશકનો લેટર પણ મીડિયા સામે આવી ગયો છે. એડીજીપીના લેટરમાં પ્રતિબંધિત સંગઠન પોપુલ ફ્રંટ ઓફ ઇન્ડિયાથી ખતરો હોવા ઉપરાંત ઘણાં ગંભીર ખતરાનો ઉલ્લેખ કરાયો છે. વિદેશ રાજ્ય મંત્રી એકે મુરલીધરને પત્ર લીક થવા પર રાજ્ય પોલીસની ભૂલ ગણાવી છે.
Advertisement