રબર એ કેરળના મહત્વના પાકોમાંનો એક છે અને તે વિવિધ ભૌગોલિક વિસ્તારમાં ઝડપથી વધારે પ્રમાણમાં થઇ રહ્યો છે. હાલમાં કુદરતી રબરનું ઉત્પાદન ૭૭૫ હજાર ટન થાય છે જેમાં ૭૫ ટકાથી વધારે રબર માત્ર કેરળમાંથી ઉત્પાદન થાય છે. કેરળની સાથે કુદરતી રબર ઉત્પાદક રાજ્યમાં ત્રિપુરા અને તમિલનાડુમાં થાય છે, જે દેશના ઉત્પાદનમાં આશરે ૩ ટકાનો ઉમેરો કરે છે ત્યારે ગુજરાતના ભરૃચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કૃષિ પ્રાયોગિક સ્ટેશન, એનએયુ, પરિયા અને એનએયુના ૧૩ અન્ય સંશાધન સ્ટેશનો ખાતે રબર ક્લોન આરઆરઆઇઆઇ-૪૩૦ના આશરે ૧૨૦૦થી વધારે છોડનું વાવેતર કરીને તેની માવજત કરવામાં આવી રહી છે. રબરના આ છોડની સારી વૃદ્ધિ અને વિકાસ થઇ રહ્યો છે જેથી આગામી સમયમાં ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં રબરનનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થવાની આશા જાગી છે તેમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ઝેડ. પી. પટેલે કહ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે, હાલમાં કેરળમાં ૫.૫ લાખ હેક્ટર વિસ્તાર કુદરતી રબરની ખેતી હેઠળ છે. ઉત્પાદન કરતા કુદરતી રબરની માંગ વધુ ઝડપથી વધી રહી છે અને તેને લીધે રબરના ઉત્પાદન હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર છે. છેલ્લાં કેટલાંક કેરળમાં ખેતી સાથે જોડાયેલા લોકો જમીનદારો સીધો ભાગ માંગે છે અને તેને સીધે કેરળમાં રબર ઉગાડવાનો વિસ્તાર ઘટી રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતો પહેલેથી કેરી અને ચીકુ ઉગાડી રહ્યા છે અને તેનાથી ઘણી સારી આવક મેળવે છે. સામાજિક વનીકરણ અને ખેતરની સીમાઓમાં રબરનું વાવેતર કરવામાં મોટા પ્રમાણમાં ગુજરાતમાં રબરનું ઉત્પાદન થઇ શકે છે અને તેને લીધે વિવિધ સંશોધન સ્ટેશન ખાતે પ્રાયોગિક ધોરણે ૧૨૦૦ રબરના છોડનો સારો ઉછેર કર્યો છે. ગુજરાતમાં રબરનું ઉત્પાદન ક્ષેત્રમાં લોકો જોડાય તો દેશમાં સૌથી વધુ રબર ઉત્પાદનમાં સ્થાન જમાવી શકે છે.
Advertisement
Advertisement
Advertisement