ભારતીય હવામાન IMD વિભાગે આજે બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાત વાવાઝોડું બનીને દેશના પૂર્વ કિનારે આવવાની સંભાવના છે. મોચા વાવાઝોડું 9 મેએ ડિપ્રેશન અને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશમાં 3 દિવસ સુધી વરસાદ યથાવત્ રહેશે.
IMDએ 8મેથી 12મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે.
IMDએ 7થી 9 મે વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના જિલ્લાઓ માટે ‘રેન વોચ’નું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પૂર્વ કિનારે અલગ-અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમા પર અલગ-અલગ સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
સરકાર દરેક રાજ્યમાં એલર્ટ જારી કરી દીધું છે. અંબાલાલ પટેલે આ વાવાઝોડા વિશે આગાહી કરી છે કે આ વાવાઝોડું ભારે તબાહી મચાવશે. આગળ જતાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે.
Advertisement