ઓસ્ટ્રેલિયાએ ભારતને ૫૦૦ વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ પરત સોંપી છે. આ મૂર્તિ તમિલનાડુના મંદિરમાંથી ચોરી થઇ હતી તેને ઓસ્ટ્રેલિયામાં સ્થિતિ ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી છે. આ મૂર્તિ ખૂબ જ આકર્ષક છે. આ મૂર્તિમાં ભગવાન બે હાથ જોડીને ઉભા છે તે સ્વરૂપના દર્શન થાય છે. કેન્દ્ર સરકાર વિદેશમાં રહેલી દેશની કિંમતી વસ્તુઓ ભારતમાં પરત લાવવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
આ વસ્તુઓ એવી છે કે જે વર્ષો પહેલા કોઇ કારણોસર દેશની બહાર પહોંચી ગઇ છે પરંતુ દેશની અમૂલ્ય ધરોહરમાં તેની ગણના થાય છે. કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી, જેમાં રેડ્ડીએ કહ્યું કે, ૧૪ કે ૧૫મી સદી દરમિયાન વરથરાજ પેરુમલ, પોટ્ટાવેલ્લી વેલ્લુર, અરિયાલુર જિલ્લાના વિષ્ણુમંદિરમાંથી ચોરાયેલી ભગવાન હનુમાનજીની ધાતુની મૂર્તિ ઓસ્ટ્રેલિામાં ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૫૧ પ્રાચીન મૂર્તિઓ વિદેશથી સ્વદેશ લાવવામાં આવી છે.
Advertisement