ભારત સરકારે શુક્રવારે (19 મે) ના રોજ 22 પાકિસ્તાની કેદીઓને તેમની સજા પૂર્ણ કર્યા પછી મુક્ત કરી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો દ્વારા અટારી-વાઘા બોર્ડર પર જોઈન્ટ ચેક પોસ્ટ (JCP) ખાતે પાકિસ્તાની અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
ભારતે 22 પાકિસ્તાની કેદીઓને કર્યા મુક્ત
અધિકારીઓનું કહેવું છે કે આ તમામ કેદીઓને પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા જારી કરાયેલ ઈમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટના આધારે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે જ્યારે આ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમની પાસે કોઈ મુસાફરી દસ્તાવેજો મળ્યા નહતા.
જે 22 કેદીઓ મુક્ત કરવામાં આવ્યા છે તેમાંથી 9 માછીમારો ગુજરાતની કચ્છ જેલમાં તો 10 અમૃતસર સેન્ટ્રલ જેલમાં અને ત્રણ અન્ય જેલમાં બંધ હતા. ભારતીય નૌકાદળ દ્વારા આ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને કર્યા મુક્ત
અગાઉ પાકિસ્તાને ગયા અઠવાડિયે પણ ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. પાકિસ્તાનની મલીર જેલમાં બંધ 198 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. તેને અટારી-વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન મલીર જેલના સુપરિન્ટેન્ડેન્ટ નઝીર ટુનિયોએ કહ્યું હતું કે ભારતીય માછીમારોની પ્રથમ બેચને હમણાં જ તેમની તરફથી મુક્ત કરવામાં આવી છે.
જુન-જુલાઈમાં ઘણા વધુ કેદીઓને પણ મુક્ત કરવામાં આવશે. મલીર જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે આ વખતે 200 ભારતીય માછીમારોને છોડાવવાના હતા પરંતુ 2 માછીમારો બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 200 અને 100 માછીમારોને બાદમાં મુક્ત કરવામાં આવશે.
#WATCH पंजाब: अटारी-वाघा सीमा पर भारत सरकार द्वारा 22 पाकिस्तानी कैदियों को रिहा किया गया। (19.05) pic.twitter.com/6wRC4kElTn
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
Advertisement