અમદાવાદ: IT ક્ષેત્રની કંપની ઇન્ફોસિસના કો-ઓનર એન આર નારાયણ મૂર્તિએ પૂર્વની યૂપીએ સરકાર પર નિશાન સાધ્યુ છે. નારાયણ મૂર્તિએ અફસોસ વ્યક્ત કર્યો કે મનમોહન સરકાર દરમિયાન ભારતમાં આર્થિક ગતિવિધિ ઠપ પડી ગઇ હતી. સાથે જ તેમણે કહ્યુ કે મનમોહન સિંહની સરકારે કેટલાક જરૂરી નિર્ણય સમય પર લીધા નહતા. નારાયણ મૂર્તિએ આ વાત IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે એક કાર્યક્રમમાં કહી હતી. આ દરમિયાન નારાયણ મૂર્તિએ વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજનો યુવા મગજ ભારતને દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનનો એક યોગ્ય પ્રતિસ્પર્ધી બનાવી શકે છે.
Advertisement
Advertisement
નારાયણ મૂર્તિએ એક સવાલના જવાબમાં કહ્યુ કે હું લંડનમાં (2008થી 2012 વચ્ચે) એચએસબીસી બોર્ડમાં હતો. પહેલા કેટલાક વર્ષમાં જ્યારે બોર્ડ રૂમ (બેઠક દરમિયાન)માં ચીનનો બેથી ત્રણ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો તો ભારતનું નામ એક વખત આવતુ હતુ.
પૂર્વ પીએમ મનમોહન સિંહ અસાધારણ વ્યક્તિ હતા: નારાયણ મૂર્તિ
નારાયણ મૂર્તિએ કહ્યુ કે પરંતુ દુર્ભાગ્યથી મને નથી ખબર કે પછી (ભારત સાથે) શું થયુ. પૂર્વ પીએમ મનમોહન સિંહ એક અસાધારણ વ્યક્તિ હતા અને મારા મનમાં તેમના માટે ઘણુ સમ્માન છે પરંતુ તેમના સમયમાં ભારત રોકાઇ ગયુ હતુ. સાચા નિર્ણય લેવામાં આવતા નહતા. જ્યારે અમે એચએસબીસી (2012માં) છોડ્યુ તો બેઠક દરમિયાન ભારતના નામનો ભાગ્યે જ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, જ્યારે ચીનનું નામ લગભગ 30 વખત લેવામાં આવ્યુ હતુ.
નારાયણ મૂર્તિએ કહ્યુ કે, માટે મને લાગે છે કે આ તમારી (યુવા પેઢી) જવાબદારી છે કે જ્યારે પણ લોકો કોઇ અન્ય દેશ, ખાસ કરીને ચીનનું નામ લે છે તો ભારતના નામનો ઉલ્લેખ કરો. મને લાગે છે કે તમે લોક આવુ કરી શકો છો.
ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
આ દરમિયાન ઇન્ફોસિસના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે એક સમય હતો જ્યારે મોટાભાગના પશ્ચિમી લોકો ભારતને નીચુ બતાવતા હતા પરંતુ આજે દેશ માટે એક નિશ્ચિત સ્તરનું સમ્માન છે. ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. નારાયણ મૂર્તિએ કહ્યુ કે મનમોહન સિંહના નાણા મંત્રી રહેવા દરમિયાન વર્ષ 1991માં લાગુ કરવામાં આવેલા આર્થિક સુધાર અને વર્તમાન ભાજપના નેતૃત્વ ધરાવતી સરકારની મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાથી દેશને (ઇન્ટરનેશનલ લેવલ) પર સ્થાન મેળવવામાં મદદ મળી છે.
વિદ્યાર્થીઓને નારાયણ મૂર્તિએ કહ્યુ- આશા છે તમે દેશને આગળ લઇ જશો
વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં નારાયણ મૂર્તિએ કહ્યુ કે જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે વધારે જવાબદારી નહતી કારણ કે મને અને ના તો ભારતથી વધુ આશઆ કરવામાં આવતી હતી. આજે આશા છે કે તમે દેશને આગળ લઇ જશો. મને લાગે છે કે તમે લોકો ભારતને ચીનના એક યોગ્ય પ્રતિયોગી બનાવી શકો છો.
Advertisement