નવી દિલ્હી: ભારતના મિઝોરમ પાસે સરહદ પર મ્યાનમાર સેનાએ વિદ્રોહી-સંગઠનોના કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી છે. આ હુમલામાં મ્યાનમારના વિદ્રોહી સંગઠનો સાથે જોડાયેલા કેટલાક લોકોના પ્રભાવિત થવાના સમાચાર છે. જોકે, ભારતની સુરક્ષા સાથે જોડાયેલા સુત્રોએ સ્પષ્ટ કર્યુ છે કે આ એર સ્ટ્રાઇકથી ભારતની સરહદને કોઇ નુકસાન થયુ નથી.
Advertisement
Advertisement
મંગળવારે મિઝોરમ સાથે જોડાયેલી ભારતની સરહદ પર એક વિદ્રોહી શિબિર પર મ્યાનમારની સેનાએ બોમ્બમારો કર્યો હતો. એર સ્ટ્રાઇકને કારણે શિબિરની નજીક રાજ્યના ચમ્ફાઇ જિલ્લાના વિસ્તારમાં ડરનો માહોલ છે. એર સ્ટ્રાઇક દરમિયાન ઓછામાં ઓછો એક ગોળો ભારતમાં પડ્યો હતો. ચમ્ફાઇ જિલ્લાના એક અધિકારી અનુસાર કોઇ નુકસાન થયુ નથી પરંતુ સરહદ પાસે એક નદી કિનારે એક ટ્રકને નુકસાન થયુ હતુ.
મ્યાનમારના અન્ય ભાગમાં આ રીતની એર સ્ટ્રાઇકે બાંગ્લાદેશ અને થાઇલેન્ડ સાથે ટકરાવ ઉભો કરી દીધો છે. મ્યાનમારની સેનાએ ચિન રાજ્યના કેમ્પ વિક્ટોરિયા પર હવાઇ હુમલા શરૂ કર્યા હતા અને આ આખી રાત ચાલુ રહ્યા હતા. ચિન હ્યૂમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશને કહ્યુ કે હુમલામાં તેમના પાંચ કેડર, જેમાં બે મહિલા છે તે માર્યા ગયા છે. બુધવારે પણ રેડ કરવામાં આવી હતી.
જાણકારી અનુસાર, મ્યાનમારની સેન્ય સરકારના આદેશ પર મંગળવારે ચિન નેશનલ આર્મી (CNA) વિક્ટોરિયા કેમ્પ પર એરિયલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે ચિન નેશનલ આર્મીએ મ્યાનમારના સેન્ય શાસન વિરૂદ્ધ વિદ્રોહ છેડી રાખ્યો છે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મિઝોરમ સાથે જોડાયેલી મ્યાનમારની સરહદમાં વિક્ટોરિયા કેમ્પમાં સીએનએનું કાર્યાલય છે. આ કાર્યાલય પર મ્યાનમારની સેનાએ પોતાના વિમાનથી બોમ્બ ફેક્યા છે.
ભારતની સરહદ પર ટ્રકને નુકસાન થયુ
કેમ્પ વિક્ટોરિયાના 2થી 5 કિમીના દાયરામાં મિઝોરમના ફારકૉન ગામના રહેવાસી બોમ્બમારાનો અવાજ સાંભળીને ડરી ગયા હતા. ટિયાઉ નદીના ભારતીય કિનારા પર કામ કરનારા લોકો બોમ્બનો અવાજ સાંભળીને પોતાના ઘરમાં જતા રહ્યા હતા. જોકે, ભારત તરફથી કોઇ આ એર સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા આવી નથી. ભારતીય સેન્ય સૂત્રોએ કહ્યુ કે બોમ્બ નદીમાં પડ્યો હતો. ચમ્ફાઇ જિલ્લામાં સ્થિત મિઝોરમ સરકારના એક અધિકારીએ કહ્યુ કે ભારતની સીમા પર એક ટ્રકને હુમલામાં નુકસાન થયુ છે. અધિકારીએ કહ્યુ કે તે વિસ્તાર પર નજર રાખી રહ્યા છે પરંતુ કોઇ પ્રભાવ પડ્યો નથી.
Advertisement