ગુજરાત એક્સક્લૂઝિવ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ભારતને વ્યાપક વસ્તી નીતિની જરૂર છે.
Advertisement
Advertisement
ભાગવતે કહ્યું કે ધર્મ આધારિત વસ્તીના ‘અસંતુલન’ના મુદ્દાને નજરઅંદાજ ન કરવો જોઈએ. તેમના મતે વસ્તીમાં ‘અસંતુલન’ ભૌગોલિક હદમાં પરિવર્તન તરફ દોરી જાય છે.
બુધવારે દશેરાના અવસર પર નાગપુરમાં પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું હતું કે વસ્તીના ‘અસંતુલન’ને કારણે ભારતને ભયંકર પરિણામો ભોગવવા પડ્યા છે. તેમણે 1947માં ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે ધર્મો વચ્ચે વસતીમાં કથિત અસંતુલનને જવાબદાર ઠેરવ્યું હતું.
આ પ્રસંગે તેમણે પૂર્વ તિમોર, દક્ષિણ સુદાન અને કોસોવોનું ઉદાહરણ આપતા કહ્યું કે આ નવા દેશો વસ્તીમાં અસંતુલનને કારણે બન્યા છે.
તેમને જન્મ દર ઉપરાંત કથિત બળજબરીથી ધર્માંતરણ અને સરહદ પારથી ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર કરીને આવેલા પ્રવાસીઓનો પણ ઉલ્લેખ કર્યો. ભાગવતે પોતાના ભાષણમાં કોઈ ધર્મનું સીધું નામ લીધું ન હતું.
નિવેદનોમાં વિરોધાભાસ
આનાથી પહેલા પણ સંઘ અથવા બીજેપી નેતા આવી રીતની વાતો કરતાં આવ્યા છે. જોકે, અનેક વખત તેમના નિવેદનોમાં વિરોધાભાસ પણ જોવા મળ્યું છે.
પાછલા વર્ષ (2021) જૂલાઈમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર ભારતી પ્રવીણે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે, “મોદી સરકાર નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ દ્વારા જ ભારતમાં જનસંખ્યાને નિયંત્રિત રાખવાનું કામ કરી રહી છે, જે સ્વૈચ્છિક છે અને જનતાને પરિવાર નિયંત્રણના અનેક વિકલ્પ આપે છે. મોદી સરકાર ટૂ ચાઈલ્ડ પોલિસી” દ્વારા જ ભારતમાં જનસંખ્યાને નિયંત્રિત રાખવાનું કામ કરી રહી છે, જે સ્વૈચ્છિક છે અને જનતાને પરિવાર નિયંત્રણના અનેક વિકલ્પ આપે છે. મોદી સરકાર ટૂ ચાઈલ્ડ પોલિસી લાવવા પર કોઈ વિચાર કરી રહી નથી અને ના અન્ય કોઈ નીતિ પર.
તેમના તે નિવેદનને એક વર્ષ પણ પૂર્ણ થયો નહતો. મોદી સરકારના એક અન્ય મંત્રીનું જનસંખ્યા નિયંત્રણ કાયદાને લઈને આ વર્ષે (2022) મે મહિનામાં એક નવું નિવેદન સામે આવ્યું.
આ પણ વાંચો : #ઝીણી નજરે: ભાવનગરના પ્રિન્સ પર સૌની નજર, જયવીરરાજનું મગદળ કોની સામે ફરશે?
ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર પ્રહલાદ પટેલે રાયપુરમાં કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ માટે ટૂંક સમયમાં કાયદો લાવવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને વસ્તી નિયંત્રણ કાયદા વિશે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં તેમણે કહ્યું, “તેને ટૂંક સમયમાં લાવવામાં આવશે, ચિંતા કરશો નહીં. જ્યારે આટલા મજબૂત અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, બાકીના નિર્ણયોને પણ લેવામાં આવશે.
મંત્રીના નિવેદનના લગભગ ચાર-પાંચ મહિના પછી જનસંખ્યાને લઈને સંઘ પ્રમુખનો આ લેટેસ્ટ નિવેદન સામે આવ્યું છે.
ભારતમાં ધર્મના આધારે વસ્તી
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી એક અબજ 20 કરોડ છે.
હિંદુઓ લગભગ 80 ટકા છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 14.2 ટકા છે.
ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન મળીને ભારતની વસ્તીના છ ટકા છે.
2011માં લગભગ 30,000 ભારતીયોએ કહ્યું કે તેઓ નાસ્તિક છે.
8 મિલિયન લોકોએ કહ્યું કે તેઓ ભારતના છ મુખ્ય ધાર્મિક જૂથોમાંના નથી.
લગભગ 83 વિવિધ નાના ધાર્મિક જૂથો છે જેમના અનુયાયીઓ ઓછામાં ઓછા 100 છે.
ભારતમાં દર મહિને લગભગ 10 લાખ નવા બાળકો ઉમેરાય થાય છે અને જો આ દર ચાલુ રહેશે તો 2030માં ભારત ચીનને પછાડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.
(સ્રોત 2011 સેન્સસ એન્ડ પ્યુ રિસર્ચ સેન્ટર)
એક જ ડીએનએ તો અસંતુલન કેવું: ઓવૈસી
ભાગવતના ભાષણ પર હૈદરાબાદથી લોકસભા સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદઉદ્દીન ઔવેસીએ તીખી પ્રતિક્રિયા આપી છે.
ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપવા માટે બે ટ્વિટ કર્યાં.
ભાગવત આનાથી પહેલા કહી ચૂક્યા છે કે હિન્દૂ અને મુસલમાન બંનેના ડીએનએ એક જ છે. ઔવેસીએ તેના પર તંજ કસતા કહ્યું કે, જ્યારે હિન્દૂ અને મુસલમાનોના ડીએનએ એક જ છે તો પછી તેમાં અસંતુલનની વાત ક્યાંથી આવી.
ઓવૈસીએ કહ્યું, જનસંખ્યા નિયંત્રણની કોઈ જરૂર નથી કેમ કે આપણે પહેલાથી જ રિપ્લેસમેન્ટ રેટ મેળવી લીધો છે. ચિંતાનો વિષય છે મોટી ઉંમરના લોકોની વધતી વસ્તી અને બેરોજગાર યુવાઓ જે પોતાના વડીલોની મદદ કરી શકતા નથી. મુસ્લિમોનો પ્રજનન દર સૌથી ઝડપી દરે નીચે આવ્યો છે.”
ભાગવત પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું, “મોહન (ભાગવત) માટે આ વાર્ષિક નફરતના ભાષણનો પ્રસંગ છે. વસ્તીના અસંતુલનના ભયથી સમગ્ર વિશ્વમાં નરસંહાર અને વંશીય હિંસા થઈ છે.”
ભાગવતની સ્પીચનું સ્વાગતઃ એસ.વાય. કુરેશી
તાજેતરમાં મુસ્લિમોના પાંચ સભ્યોનું જૂથ મોહન ભાગવતને મળ્યું હતું.
જેઓ મળ્યા તેમાં ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી, દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, ભારતીય સેનાના ભૂતપૂર્વ નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ ઝમીરુદ્દીન શાહ (નિવૃત્ત), વરિષ્ઠ ઉર્દૂ પત્રકાર શાહિદ સિદ્દીકી અને ઉદ્યોગપતિ સાદ શેરવાનીનો સમાવેશ થાય છે.
મોહન ભાગવતના ભાષણને આવકારતા એસ.વાય. કુરેશીએ કહ્યું કે તેઓ ખૂબ જ સારું બોલ્યા છે.
કુરેશીએ તાજેતરમાં આ મુદ્દા પર એક પુસ્તક પણ લખ્યું હતું – ‘ધ પોપ્યુલેશન મિથઃ ઇસ્લામ, ફેમિલી પ્લાનિંગ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયા’. ભાગવત સાથેની મુલાકાત દરમિયાન તેમને આ પુસ્તક પણ આપ્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “ભાગવતે મુસ્લિમોનું નામ લીધું નથી. તેમણે એવું નથી કહ્યું કે મુસ્લિમો જાણી જોઈને વસ્તી વધારી રહ્યા છે જેથી તેઓ રાજકીય સત્તા મેળવી શકે. તેમણે વસ્તીના સંબંધમાં શિક્ષણ, સેવાઓ અને આવકની વાત કરી. તેમની વાતનો મુખ્ય મુદ્દો એ છે કે દરેક સમાજ, દરેક ધર્મના લોકોએ કુટુંબ નિયોજન કરવું જોઈએ.
કુરૈશીએ કહ્યું હતું કે ભાગવતની મુલાકાત વખતે અને બુધવારે ભાગવતના ભાષણ સમયે તે લોકોએ જે વાત કરી તેમાં કોઈ ફરક નથી.
પરંતુ બધુ ઠિક છે તો પછી ભાગવતને આ જનસંખ્યા નીતિ લાગુ કરવાની વાત કરવાની જરૂર કેમ પડી, આ પ્રશ્નના જવાબમાં કુરેશીએ કહ્યું, “ભાગવતે જનસંખ્યા નીતિની વાત કરી છે ના કે જનસંખ્યા નિયંત્રણ કાયદાની. નીતિનો અર્થ શિક્ષા આપવું, સ્વાસ્થ્ય સેવાઓ આપવી અને ગરીબી દૂર કરવી છે.”
જોકે કેટલાક મહિના પહેલા એસવાય કુરેશીએ પોતાના એક ઇન્ટરવ્યું વખતે બીબીસીને જણાવ્યું હતુ કે, ભારતને જનસંખ્યા નિયંત્રણ પર કાયદાનૂ જરૂર આજથી 30 વર્ષ પહેલા હતી, આજે નથી. જનસંખ્યા વૃદ્ધિ દર, પ્રજનન દર, રિપ્લેસમેન્ટ રેશિયો અને ગર્ભ નિરોધક રીતોની ડિમાન્ડ સપ્લાઇનો અંતર દર્શાવે છે કે સરકારને જનસંખ્યા નિયંત્રણ પર કાયદો લાવવાની કોઈ જરૂર નથી.
મોહન ભાગવતને મળનારાઓમાં સામેલ પત્રકાર શાહિદ સિદ્દીકીએ પણ ભાગવતની સ્પીચનું સ્વાગત કર્યું છે.
શાહિદ સિદ્દીકીએ કહ્યું કે, “વધતી વસ્તીને લઈને મોહન ભાગવતની ચિંતાના હું વખાણ કરૂ છું. પરંતુ મારૂ માનવું છે કે આજે ભારતની આબાદી સંતુલિત છે અને અસંતુલિત વધારાને લઈને ચિંતિત થવાની કોઈ જ જરૂર નથી.”
પરંતુ મોહન ભાગવતની કેટલીક બાબતોમાં અસહ્મતિ વ્યક્ત કરતાં શાહિદ સિદ્દીકીએ કહ્યું, “તેમને આ વિષય પર વધારે ઉંડાણપૂર્વક અધ્યન કરવું જોઈએ. કેમ કે ભારતમાં કોસોવો જેવી સ્થિતિ બનવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભારતમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે જનસંખ્યા વૃદ્ધિ દરમાં ફરક લગભગ ખત્મ થતો જોવા મળી રહ્યો છે.”
મોહન ભાગવત ભલે પોતાની સ્પીચમાં જનસંખ્યા નીતિનો ઉલ્લેખ કર્યો છે, જનસંખ્યા નિયંત્રણ કાયદાનો નહીં. પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોહન ભાગવત અથવા સંઘ અને બીજેપીનો કોઈ નેતા જ્યારે જનસંખ્યા વિસ્ફોટની વાત કરે છે તો આનો એક રાજકીય અર્થ હોય છે.
પોતે એસવાઈ કુરેશી કહે છે કે, ભારતમાં જનસંખ્યા વૃદ્ધિને લઈને સૌથી મોટું ભ્રમ છે કે મુસ્લિમો વધારે બાળકો પેદા કરે છે અને તેમના કારણે જનસંખ્યા વધારે વધી રહી છે. પરંતુ તે બધી જ રીતે તથ્યો વિહોણા છે.
મોહન ભાગવતે પોતાના નિવેદનના પક્ષમાં ના કોઈ આંકડા આપ્યા અને ના કંઇ તથ્ય સામે રાખ્યા હતા.
આંકડા કંઈક બીજું જ કહે છે
ભારતમાં 2021 માં વસ્તી ગણતરી થઈ ન હતી, તેથી તમામ સત્તાવાર આંકડા 2011 ની વસ્તી ગણતરી અને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) ના છે.
કોઈપણ રાજ્યમાં પ્રજનન દર, કુટુંબ નિયોજન, મૃત્યુદર, માતા અને બાળ આરોગ્ય સંબંધિત નવીનતમ ડેટા પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે.
યુએસ સ્થિત થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરે સપ્ટેમ્બર 2021માં ભારતમાં વિવિધ ધર્મોની વસ્તી સંબંધિત એક રિપોર્ટ પણ બહાર પાડ્યો હતો. પરંતુ તેમના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત વસ્તી ગણતરી અને NFHS ડેટા જ છે.
પરંતુ જે પણ સત્તાવાર આંકડાઓ લેવામાં આવે છે, તે સ્પષ્ટ છે કે મુસ્લિમો કોઈ પણ સંજોગોમાં હિન્દુઓથી આગળ નીકળી શકતા નથી.
NFHS-5ના આંકડા એ પણ દર્શાવે છે કે ભારતમાં વસ્તી વૃદ્ધિ દર દરેક દાયકામાં ઘટી રહ્યો છે.
પ્રજનન દર પણ ઘટી રહ્યો છે અને આ તમામ ધર્મના લોકોમાં થઈ રહ્યું છે.
NFHS-5 ડેટા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે ભારતમાં કુલ પ્રજનન દર 2.1 થી ઘટીને રિપ્લેસમેન્ટ રેશિયા કરતા ઓછો થયો છે.
પ્રજનન દર એ એક મહત્વપૂર્ણ પરિમાણ છે જેના દ્વારા નિષ્ણાતો શોધી કાઢે છે કે રાજ્યમાં વસ્તી વિસ્ફોટ છે કે નહીં.
રિપ્લેસમેન્ટ રેશિયો 2.1 એટલે કે, બે બાળકો પેદા કરીને, વંશ પેઢી દર પેઢી ચાલુ રહેશે. (પોઇન્ટ એક કારણ કે કેટલીકવાર કેટલાક બાળકો નાની ઉંમરે મૃત્યુ પામે છે.)
બે ની નીચે રિપ્લેસમેન્ટ રેશિયાનો ઘટાડો પણ પાછળથી ચિંતાનું કારણ બની શકે છે. એસવાય કુરેશી કહે છે કે કેન્દ્ર સરકારે ધ્યાન આપવાની જરૂર છે કે રિપ્લેસમેન્ટ રેશિયો 2.1ની આસપાસ બનેલો રહે.
NFHSના છેલ્લા પાંચ અહેવાલોના ડેટા દર્શાવે છે કે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે બાળક પેદા કરવાનું અંતર ક્યારેય એક કરતાં વધુ બાળકનું રહ્યું નથી. વર્ષ 1991-92માં આ તફાવત 1.1 હતો જે આ વખતે ઘટીને 0.3 થયો છે. આ સૂચવે છે કે મુસ્લિમ મહિલાઓ વધુને વધુ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવી રહી છે. તેમાંથી ગર્ભનિરોધક પદ્ધતિઓની માંગ પણ વધુ છે જે પૂરી થઈ રહી નથી.
છેલ્લા બે દાયકામાં હિંદુઓમાં પ્રજનન દર 30 ટકા ઘટ્યો છે જ્યારે મુસ્લિમોમાં તે 35 ટકા છે. મુસ્લિમોમાં વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો હિંદુઓ કરતા વધુ છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2030 સુધીમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પ્રજનન દર લગભગ સમાન હશે.
પ્યુ રિસર્ચ સેન્ટરના 2021ના અહેવાલ મુજબ, 1992થી 2015 દરમિયાન મુસ્લિમોમાં પ્રજનન દર 4.4 થી ઘટીને 2.6 થયો હતો, જ્યારે હિંદુઓમાં તે 3.3 થી ઘટીને 2.1 થયો હતો.
ચીનનું ઉદાહરણ
મોહન ભાગવતે પોતાના ભાષણમાં ચીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “આપણું પાડોશી ચીન વૃદ્ધ થઈ રહ્યું છે. તે જલ્દી જ વૃદ્ધ થઈ જશે. સિંગલ ચાઈલ્ડ પોલિસીના કારણે આ સ્થિતિ ઊભી થઈ રહી છે. તેઓએ હવે બે બાળકોની પોલિસી લાગુ કરી છે, પરંતુ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી.”
જો કે, તેમણે એ પણ ધ્યાન દોર્યું કે જો વસ્તી ખૂબ જ ઓછી થાય છે, તો સમાજ અને ભાષા પોતે જ અદૃશ્ય થઈ જાય છે.
ચીનની વાત કરીએ તો, તેની ‘એક બાળક નીતિ’ વિશ્વના સૌથી મોટા કુટુંબ નિયોજન કાર્યક્રમોમાંની એક હતી. આ પોલિસી વર્ષ 1979માં શરૂ કરવામાં આવી હતી અને તે લગભગ 30 વર્ષ સુધી ચાલી હતી. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, ચીનનો પ્રજનન દર 2000માં 2.81 થી ઘટીને 1.51 થયો હતો અને તેની ચીનના શ્રમ બજાર પર મોટી અસર પડી હતી.
ચીનની સરકારે તેની એક બાળકની નીતિ પર પુનર્વિચાર કરવો પડ્યો.
Advertisement