ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા શુક્રવાર સવારે 9.26 વાગ્યે પંચતત્વમાં વિલીન થઇ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતાના ભાઇઓ સાથે મુખાગ્નિ આપી હતી. આ પહેલા પીએમ મોદી અંતિમ સફર દરમિયાન માતાના પાર્થિવ શરીરને કાંધ આપીને ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરેથી નીકળ્યા હતા અને તે બાદ શબ વાહિનીમાં માતા પાસે જ બેઠેલા રહ્યા હતા. માતાના અંતિમ સંસ્કાર બાદ પીએમ મોદીએ પોતાનો નક્કી કરેલો કોઇ કાર્યક્રમ રદ કર્યો નહતો. તે અંતિમ સંસ્કાર પછી સીધા રાજભવન ગયા હતા. તેમણે અહીથી જ બંગાળમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વર્ચુઅલી જોડાયા હતા. પીએમ મોદીએ હાવડાને ન્યૂ જલપાઇગુડી સાથે જોડનારી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી.
Advertisement
Advertisement
સરદાર પટેલ સાથે થઇ રહી છે તુલના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્તવ્ય પથ પર ડટ્યા રહેવાને કારણે સોશિયલ મીડિયા પર તેમની તુલના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કરવામાં આવી રહી છે. આઝાદ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે પણ 1909માં જે કર્યુ હતુ, તેનો આજે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આ ઘટના 11 જાન્યુઆરી 1909ની છે. સરદાર પટેલના પત્ની જવેરબેન પટેલ બીમાર હતા, સરદાર પટેલે એક મહત્વની ઘટનાની સુનાવણી માટે કોર્ટમાં જવાનું હતુ. સરદાર પટેલ કોર્ટ જતા રહ્યા. તે કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા ત્યારે કોર્ટનો એક કર્મચારી આવ્યો જેમણે જજની પરવાનગીથી એક મેસેજ ટેલીગ્રામ સરદાર પટેલના હાથમાં મુક્યો અને જતા રહ્યા. સરદાર પટેલે તેને જોઇને પોતાના ખિસ્સામાં મુકી દીધો અને દલીલ પૂર્ણ કરી હતી. બાદમાં ખબર પડી કે તે ટેલીગ્રામ તેમની પત્નીના નિધનનો હતો. બાદમાં જજને આ ઘટના ખબર પડી તો સરદાર પટેલને પૂછ્યુ, તમે આવુ કેમ કર્યુ? સરદાર પટેલે જવાબ આપ્યો- આ તો મારી ફરજ હતી. મારા સાક્ષીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, મારે કેસમાં હાજર થવુ જરૂરી હતુ.
સરદાર પટેલની જેમ પીએમ મોદીના માતાના નિધન પર પુત્રએ ફરજ નીભાવી હતી પરંતુ પોતાના તમામ કાર્યક્રમને પ્રભાવિત થવા દીધા નહતા. પીએમ મોદી વર્ચુઅલી પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં જોડાયા હતા અને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદી સવારે 7.45 વાગ્યે અમદાવાદ પહોચ્યા હતા. અહી તેમણે 5 મિનિટ લોકો સાથે વાતચીત કરી હતી અને પછી સીધા ગાંધીનગર સ્થિત ભાઇના ઘર માટે રવાના થયા હતા. 8.24 વાગ્યે ગાંધીનગરમાં પીએમ મોદી ભાઇ પંકજના ઘરે પહોચ્યા હતા અને માતાને નમન કર્યુ હતુ. 8.30 વાગ્યે માતાને નમન કરવાની 5 મિનિટ પછી મોદી તેમના પાર્થિવ શરીરને લઇને ઘરમાંથી નીકળ્યા હતા. 8.35 વાગ્યે પીએમ મોદીએ પાર્થિવ શરીરને શબવાહિનીમાં મુક્યો હતો અને માતા સાથે જ શબવાહિનીમાં બેસી ગયા હતા. પીએમ મોદી 9.05 વાગ્યે ગાંધીનગરના સેક્ટર-30 શ્મસાન ઘાટ પહોચ્યા હતા અને માતાના પાર્થિવ દેહને કાંધ પર ઉઠાવીને ચિતા સુધી પહોચાડ્યો હતો. 9.26 વાગ્યે માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પીએમ મોદી ત્યા ઉભા રહ્યા હતા અને માતાની ચિતાને જોતા રહ્યા હતા. તે બાદ પીએમ મોદી 10.15 વાગ્યે રાજભવન ગયા હતા. ત્યાથી તે બંગાળમાં ચાલી રહેલી ગંગા પરિષદની બેઠકમાં વર્ચુઅલી જોડાયા હતા. તે બાદ પીએમ મોદીએ 11.40 બંગાળમાં થઇ રહેલા કાર્યક્રમમાં વર્ચુઅલી જોડાઇને વંદે ભારત ટ્રેન સહિત કેટલાક પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યુ હતુ.
આ પણ વાંચો: હીરાબાના અંતિમ સંસ્કાર પછી PM મોદી દેશ સેવામાં લાગ્યા, બંગાળને વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી
પીએમ મોદી પર 33 વર્ષ પછી દુખનો પહાડ તૂટી પડ્યો
આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દુખનો પહાડ તૂટ્યો છે. 33 વર્ષ પહેલા પીએમ નરેન્દ્રa મોદીના પિતા દામોદર દાસ મોદીનું નિધન થયુ હતુ. 1989માં પિતાના નિધન સમયે પીએમ મોદી અને તેમના પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો હતો. હવે ફરી એક વખત તેમણે ઉંડો આઘાત લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા તો તેમની આંખો ભીની હતી.
Advertisement