ગાંધીનગર: મોરબી દૂર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને જેલના હવાલે કરવામાં આવ્યા છે. જયસુખ પટેલ 90 દિવસ પછી મોરબી કોર્ટમાં હાજર થયો હતો. જયસુખ પટેલને કોર્ટની બહાર લાવવામાં આવતા મૃતકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ઝુલતા પુલ દૂર્ઘટના મામલે જયસુખ પટેલ કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજર થયો હતો. જયસુખ પટેલે આગોતરા જામીન અરજી પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે મોરબી પુલ દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
Advertisement
Advertisement
જયસુખ પટેલનું નામ મોરબી બ્રિજ દૂર્ઘટનામાં ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું હતું. પુલનું સમારકામ કરનારા ઓેરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર (MD) જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. જયસુખ પટેલની ધરપકડ માટે વોરંટ અને લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. ધરપકડની આશંકાના પગલે જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી.
શું છે મોરબી પુલ દૂર્ઘટના?
મોરબીમાં 30 ઓક્ટોબર 2022માં મચ્છુ નદી પર બનેલો પૂલ તૂટીને નદીમાં પડ્યો હતો. આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા જ્યારે 180 લોકો ઘાયલ થયા હતા. છઠ પુજાના દિવસે પુલ પર વધારે ભીડ ભેગી થઇ હોવાને કારણે કેબલ તૂટી ગયો હતો અને પુલ નદીમાં તૂટી પડ્યો હતો. દૂર્ઘટના સમયે પુલ પર લગભગ 500 લોકો હાજર હતા.
Advertisement