મોરબીમાં બીજેપીના ઉમેદવાર કાંતિ અમૃતિયાનએ જીત મેળવી છે. આ બેઠક પર કાંતિ અમૃતિયા, કોંગ્રેસના જયંતિ પટેલ અને આપના પંકજ રાણસરીયા વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. તમને જણીવી દઈએ કે, મોરબીમાં ત્રણેય બેઠક ભાજપે કબજે કરી લીધી છે. આ બેઠક પર બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી અમૃતિયાને ટિકિટ આપી હતી. મોરબી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.
Advertisement
Advertisement
ભાજપે વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તુ કાપીને કાંતિ અમૃતિયાને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે મોરબી વિધાનસભા સીટ ઉપર જયંતિ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં પાંચ વખત આ બેઠક પરથી હારી ચૂક્યા છે. આમ છતાં આ વર્ષે કોંગ્રેસે મોરબી બેઠક પર તેમણે ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ પંકજ રાણસરીયાને ઉમેદવાર બનાવ્યા હતા.
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વિના મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. તેઓ પોતે લોકોને બચાવવા માટે મચ્છુ નદીમાં ઉતર્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા હતા.
Advertisement