નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું છે. સૂત્રોએ આજે (શુક્રવારે) આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પત્ર શુક્રવારે સવારે જ મોકલવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ CJI પછી સૌથી વરિષ્ઠ જજ છે અને આ પદ માટે મુખ્ય દાવેદાર છે. મુખ્ય ન્યાયાધીશ તેમના અનુગામી તરીકે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને નોમિનેટ કરે છે. આ પરંપરા અનુસાર જસ્ટિસ ચંદ્રચુડ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે.
જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટમાં જોડાયા પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. 2016માં તેમને બઢતી આપવામાં આવી અને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા. તે પહેલા જસ્ટિસ ચંદ્રચુડ 2000 થી 2013 સુધી બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચુક્યા છે.
Advertisement