નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુબ્રમણ્યમ હોલમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 વિશે ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું. આ સાથે પીએમ મોદીએ શ્રી અન્ન ગ્લોબલ એક્સેલન્સ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આવા આયોજનો ઘટનાઓ માત્ર વૈશ્વિક ભલાઈ માટે જ જરૂરી છે એવું નથી, પરંતુ ગ્લોબલ ગુડમાં ભારતની વધતી જવાબદારીનું પ્રતીક પણ છે.
Advertisement
Advertisement
ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને પ્રયાસો પછી જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું છે. વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારત આ ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતના 75 લાખથી વધુ ખેડૂતો આજે આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા છે. જે તેના મહાત્મ્યને દર્શાવે છે.
તે ઉપરાંત વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં મિલેટ્સને હવે ‘શ્રી અન્ન’ની ઓળખ આપવામાં આવી છે. તે માત્ર ખેતી અને ખાવા સુધી જ સીમિત નથી. શ્રી અન્ન’ ભારતમાં સર્વાંગી વિકાસનું એક માધ્યમ બની રહ્યું છે. તેમાં ગામ અને ગરીબો જોડાયેલા છે. અમે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સતત કામ કર્યું છે. આપણે ત્યાં 12-13 રાજ્યોમાં મિલેટ્સની ખેતી થાય છે. પરંતુ, તેનો ઘરેલુ વપરાશ વ્યક્તિ દીઠ પ્રતિ માસ 2-3 કિલોથી વધારે ન હતો. પરંતુ, આજે તે વધીને 14 કિલો પ્રતિ માસ થઈ ગયો છે. ભારતનું મિલેટ્સ મિશન દેશના 2.5 કરોડ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થશે. જ્યારે મિલેટ્સનું માર્કેટ વધશે ત્યારે તેનાથી 2.5 કરોડ ખેડૂતોની આવકમાં વધારો થશે.
Advertisement