બેંગલુરૂ: કર્ણાટકના પાટનગર બેંગલુરૂમાં મેટ્રોનું પિલ્લર પડતા બે લોકોના મોત થયા હતા. આઉટર રિંગ રોડમાં નિર્માણાધીન મેટ્રોનું પિલ્લર પડતા એક મહિલા અને તેમના પુત્રનું નિધન થયુ હતુ. બેંગલુરૂના નાગવારા વિસ્તાર પાસે સવારે મેટ્રોનું પિલ્લર તૂટી ગયુ હતુ જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
Advertisement
Advertisement
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા અને તેમના પુત્ર બન્ને બાઇક પર સવાર હતા. આ દરમિયાન આઉટર રિંગ રોડ પર પિલ્લર તેમની ઉપર પડ્યુ હતુ જેને કારણે બન્નેના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને પિલ્લરને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બેંગલુરૂ મેટ્રો રેલ કોર્પોરેશનના એન્જિનિયર પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને આ પિલ્લર કેવી રીતે પડ્યુ તેની સમીક્ષા કરી હતી.
બેંગલુરૂ ઇસ્ટના ડીસીપી ડૉ. ભીમાશંકર એસ ગુલેડે જણાવ્યુ કે દંપત્તિ પોતાના પુત્ર અને પુત્રી સાથે બેંગલુરૂના હેબ્બલ તરફ જતા હતા ત્યારે મેટ્રોનું પિલર ઓવરલોડ થઇને બાઇક પર પડ્યુ હતુ. બાઇકની પાછળની સીટ પર સવાર મા-દીકરી આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યા માં અને દીકરીએ દમ તોડી નાખ્યો હતો. મૃતકની ઓળખ તેજસ્વિની અને તેમના અઢી વર્ષના પુત્ર વિહાનના રૂપમાં થઇ છે.
ડીસીપી અનુસાર, દૂર્ઘટના મંગળવાર સવારે 10 વાગીને 45 મિનિટ પર થઇ હતી. મેટ્રોનું પિલ્લર તૂટીને પડી ગયુ હતુ અને એક બાઇક તેની ઝપટમાં આવી ગઇ હતી. બાઇક પર 4 લોકો સવાર હતા જેમાં લોહિત નામનો વ્યક્તિ બાઇક ચલાવતો હતો, જ્યારે તેની પત્ની તેજસ્વિની અને બે જુડવા બાળક એક પુત્ર અને એક પુત્રી તેની પર સવાર હતા.
40 ટકા કમિશનનું પરિણામ- કોંગ્રેસ
આ દૂર્ઘટના બાદ રાજ્યમાં ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઇ છે. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર ફરી એક વખત 40 ટકા કમિશન લેવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ, “આ 40% કમિશન’ સરકારનું પરિણામ છે. વિકાસ કામમાં ગુણવત્તા નથી.”
Advertisement