દર વર્ષે બાપ્પાના ભક્તો ગણેશ ચતુર્થીની આતુરતાથી રાહ જોતા હોય છે અને તેઓ આ દિવસને ખૂબ ધામધૂમથી ઉજવે છે. 10 દિવસ સુધી સતત ચાલતો આ તહેવાર ગણપતિના ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસોમાં લોકો ભગવાન ગણેશની સતત પૂજા કરે છે અને તેમનો આશીર્વાદ મેળવે છે. ગણપતિને અનેક રૂપમાં પૂજવામાં આવે છે, તેવા જ તેમના એક રૂપની મહેસાણાના જગુદણમાં વર્ષોથી પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
ઐઠોરના ગણપતિ ભગવાન તરીકે કરે છે પૂજા-અર્ચના
પટેલ સમાજ સહિતના તમામ વર્ણના લોકો ગણપતિ બાપ્પાને “ઐઠોરના ગણપતિ ભગવાન”ના રૂપમાં વર્ષોથી પૂજા કરીને તેમના આશીર્વાદ લઈ રહ્યાં છે. આ પરંપરા ખુબજ જૂની છે. જગુદણના લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લી ઘણી પેઢીઓથી ગણપતિ ભગવાનની નાની દેરી જગુદનથી પુનાસણ જતા નેળીયા (નાની એવી પગદંડી) ઉપર આવેલ ખેતરના સેઢા (ખેતરની અંદર ચાલવા માટે બનાવેલા પાળો) ઉપર અમારા વડવાઓએ બનાવેલી દેરીમાં મૂર્તિ કે ફોટો ન હતો પરંતુ અમારા વડવાઓ ‘સામા સેઢે ઐઠોરના ગણપતિ ભગવાન”ના નામે દાદાનું સ્મરણ કરીને ત્ય દિવાબત્તી કરતા હતા.
તેઓ કોઈપણ શુભ કાર્યની શરૂઆત વખતે યાદ કરતા અને કોઈપણ વાહનની ખરીદી કર્યા પછી અચુક દર્શન કરવા લઈને આવતા અને હાલ પણ એ રૂઢી ચાલી આવે છે. આ દેરી પુરાણી અને જર્જરીત થતાં સંવત ૨૦૫૫ના માગશર વદ-૪ને તારીખ ૦૭/૧૨/૧૯૯૮ના દિવસે તેનું નવ નિર્માણ કરીને ગણપતિદાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા, ત્રણ દિવસના ગણેશ યાગ અને ગ્રામભોજન સાથે ધામધૂમથી સમસ્ત ગ્રામજનો એ કરી હતી. આ મંદિરની ગર્ભગૃહની જમીન એ સમયે સ્વ. મફતલાલ બેચરદાસ માધુદાસ પટેલે એમની એન.એ. કરેલ મકાનની જમીનમાંથી દાન કરેલ હતી.
ગણપતિદાદાના સની લોકવાયકા
અમે અમારા દાદા પરદાદા પાસેથી સાંભળેલી લોકવાયકા પ્રમાણે ઘણા સમય પહેલાં ત્યાં જૂની દેરી પાછળ એક ખીજડાનું ઝાડ હતું. ખેતર માલિકે ત્યાં ઘઉં લેવા માટેનું ખળું બનાવેલું હતું ખેતર માલિકને ઘઉંના ટોઠા ખાવાની ઈચ્છા થઈ એણે એક માટીના વાસણમાં નવા ઘઉં ઓરીને મુકી તે ખીજડાના સૂકા બળતણ સળગાવ્યાં. ઘણા સમય સુધી ખૂબ બળતણ સળગાવ્યાં પરંતુ ટોઠા ચુલા પર ચડ્યા જ નહી. એક અનુભવી વડીલે તેને સલાહ આપી કે તેં ગણપતિ દાદાના ખીજડાના લાકડાનો ઉપયોગ કર્યો છે. તેથી ટોઠા ચડ્યા નથી. પછી ખેડૂતે બીજા બળતણનો ઉપયોગ કર્યો તો ટોઠા થોડી મિનિટોમાં જ ચડી ગયા આવા ઘણા ચમત્કાર જોવા મળેલ છે.
ધર્મપ્રેમી સુજ્ઞ મહાશય શ્રી
પરમકૃપાળુ દેવાધિ દેવ ગજાનન શ્રી ગણપતિ દાદાના જગુદન ગામના હરસિદ્ધિ વિનાયક મંદિરના ૨૫ મા પાટોત્સવ નિમિત્તે સમસ્ત જગુદન ગામ દ્વારા હર્ષોલ્લાસ સાથે હરખના હૈયે સંવત 2072ના માગશર વદ-૧ને શુક્રવાર તા. ૯/૧૨/૨૦૨૨ થી માગશર વદ-૩ને રવિવાર તા. ૧૧/૧૨/૨૦૨૨ દરમિયાન “રજત જયંતિ મહોત્સવ” ઉજવી રહ્યું છે તો આ શુભ પ્રસંગે આયોજિત શ્રી ગણેશયાગના દર્શન કરવા અને આપશ્રીના અમૂલ્ય જીવનને પાવન કરવા, આસ્થાની અભિવ્યક્તિના આ શુભ અવસરમાં સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ છે.
૯/૧૨/૨૦૨૨ થી ૧૧/૧૨/૨૦૨૨ના કાર્યકમ
ધર્મધજા આરોહણ
તા. ૨૧/૧૧/૨૦૨૨ સોમવાર, સવારે ૯-૪૫ કલાકે
દેહશુદ્ધ પ્રાયશ્ચિત
વિક્રમ સંવત 2079 માગશર સુદ ૧૫(પૂનમ)ને ગુરૂવાર તા. ૦૮/૧૨/૨૦૨૨, બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાકે
મંગલકારી પ્રથમ દિવસ
વિક્રમ સંવત ૨૦૦૯ માગશર વદ ૧(એકમ) શુક્રવાર તા. ૦૯/૧૨/૨૦૨૨
શુક્રવાર તા. 09/12/2022
યજ્ઞ પ્રારંભ
સવારે ૯-૧૫ કલાકે
મંડપ પ્રવેશ
બપોરે ૧-૧૫ કલાકે
દેવ સ્થાપન પૂજન વિધિ
બપોરે ૨-૩૦ કલાકે
અગ્નિ પ્રાગટ્ય વિધિ
સાંજે ૪-૧૫ કલાકે
ગ્રહ હોમ વિધિ
સાંજે ૪-૩૦ કલાકે
સાયં પૂજન
સાંજે ૪-૧૫ કલાકે
સાંજે ૫-૩૦ કલાકે
બપોરે ૧-૧૫ કલાકે
આરતી અને થાળ
સાંજે ૦૬-૦૦ કલાકે
ભારત-ગુજરાતમાં ગણેશ ઉત્સવનો અનોખો ઇતિહાસ
ઇતિહાસકારોના મતે, ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત 1630-1680ની વચ્ચે થઈ હતી. તે સમયે આ તહેવાર એક સામાજિક કાર્ય તરીકે ઉજવવામાં આવતો હતો. જ્યારે એક તરફ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીના સમયે ગણપતિને તેમના કુળદેવતા તરીકે પૂજવામાં આવતા હતા, બીજી તરફ પેશવાઓના અવસાન પછી તે પારિવારિક ઉજવણી બની હતી.
આ પછી 1893 માં બાળ ગંગાધર તિલક દ્વારા ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. બ્રાહ્મણો અને બિન-બ્રાહ્મણો વચ્ચેનો ભેદ દૂર કરી શકાય અને બંને વચ્ચે એકતા આવી શકે તે માટે પણ આ કરવામાં આવ્યું હતું. એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવ પાટણમાં ઊજવાયો હતો, 1878થી શરૂ થયેલી પરંપરા આજે પણ યથાવત છે.
પાટણના ભદ્ર વિસ્તારમાં સૌપ્રથમ ઉજવણી થઈ હતી
મહારાષ્ટ્રિયન પરિવારના મહિલા અગ્રણી અને જાણીતા એડવોકેટ સંધ્યાબેન પ્રધાને જણાવ્યું હતું કે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં વર્ષ 1878માં સૌપ્રથમ મહારાષ્ટ્રિયન પરિવાર દ્વારા પાટણના નગરજનોને સાથે રાખી સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા રામજી મંદિરની સામે મરાઠી સ્કૂલ હતી એમાં ઉજવણી કરવામાં આવી હતી.
ચાંદીના સિક્કા વહેંચાયા હતા
1878માં શરૂ થયેલી ભગવાન ગણેશજીની ઉજવણીનાં 50 વર્ષ પૂર્ણ થતાં એટલે 1928માં સુવર્ણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ વખતના સંસ્થાના અધ્યક્ષ ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોષીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરી મહારાષ્ટ્રિયન તમામ પરિવારોને, જેઓ સંસ્થામાં સભ્ય હતા તેમજ દાનવીર શ્રેષ્ઠીઓને ચાંદીના સિક્કા પાટણ ગજાનન મંડળી દ્વારા ભેટ આપવામાં આવ્યા હતા તેમજ 1978માં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એમાં ભગવાનના ફોટાવાળા ચાંદીના સિક્કાની વહેંચણી કરવામાં આવી હતી.
શું કહે છે પૌરાણિક કથાઓ
પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ તો તેમના મતે ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો અને આ દિવસને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોમાં આ તહેવાર પર એક અલગ જ ધૂમ અને ઉત્સાહ જોવા મળે છે.
આવી હોય છે તૈયારીઓ
ગણપતિને વિઘ્નહર્તા ગણેશ કહેવામાં આવે છે, કારણ કે તે પોતાના ભક્તોના દુ: ખ દૂર કરે છે અને તેમને સુખ આપે છે. આ દિવસે લોકો તેમના ઘરોમાં, મંદિરોમાં અને જાહેર પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી દરરોજ તેમની પૂજા કરે છે અને તે પછી 10 માં દિવસે બાપ્પાનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે વહેલા આવવાની કામનાઓ પણ આપે છે.
મહેસાણાના જગુદન ગામના હરસિદ્ધિ વિનાયક મંદિરના ૨૫ મા પાટોત્સવ, પાટોત્સવ નિમિત્તે સમસ્ત જગુદન ગામ દ્વારા હર્ષોલ્લાસ સાથે તમને હરખના ગીત ગાશે.
Advertisement