ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત જોડો યાત્રા દરમિયાન નર્મદા બચાવો આંદોલનના કાર્યકર્તા મેઘા પાટકરના સાથે ચાલવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. મોદીએ ધોરાજીમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ, “કોંગ્રેસના નેતા, એક એવી મહિલા સાથે પદયાત્રા કરી રહ્યા છે, જેમણે કારણે ત્રણ દાયકા સુધી નર્મદા બાંધ પરિયોજના ઠપ રહી.”
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદીએ કહ્યુ, “જ્યારે મત માંગવા માટે કોંગ્રેસના નેતા આવે તો તેમણે પૂછજો કે જે લોકો નર્મદા બાંધની વિરૂદ્ધ હતા, તેમના ખભા પર હાથ રાખીને તમે પદયાત્રા કાઢી રહ્યા છો. નર્મદા બાંધ ના બનાવવામાં આવ્યુ હોત તો શું થાત? કચ્છના લોકોને તેનાથી પાણી મળે છે. આ મહિલાએ ગુજરાતને દેશ-વિદેશમાં બદનામ કર્યુ છે.”
આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસ દરમિયાન મેઘા પાટકર અંગે બોલી ચુક્યા છે.
આ પણ વાંચો: ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી મેઘા પાટકર સાથે જોવા મળ્યા,ભાજપને ગુજરાત ચૂંટણીમાં મળ્યો મુદ્દો
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કેટલીક મુશ્કેલીથી આ બાંધ બનાવડાવ્યો અને તેને કારણે આજે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં પાણી પહોચી રહ્યુ છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે હિમાચલ પ્રદેશની સાથે આઠ ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાંથઈ 89 બેઠક પર 1 ડિસેમ્બર અને 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન થશે.
Advertisement