થાઈલેન્ડની નૌકાદળનું કહેવું છે કે તેમનું એક યુદ્ધ જહાજ ડૂબી જવાથી 31 મરીન હજુ પણ ગુમ છે.
Advertisement
Advertisement
100 ક્રૂ સાથેનું એચટીએમએસ સુખોઈ તોફાનમાં ફસાઈ ગયું હતું, રવિવારે તેના પાવર કંટ્રોલમાં પાણી ભરાઇ જતાં તે ડૂબી ગયું હતું. સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ક્રૂમાંથી 75 લોકોને બચાવ્યા હતા, પરંતુ હજુ પણ 31 ગુમ છે.
નૌકાદળના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતુ કે, “12 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ અમે શોધ ચાલુ રાખીશું.”
กองทัพเรือ ชี้แจงกรณี #เรือหลวงสุโขทัย ขณะลาดตระเวน ระยะ 20 ไมล์ จากท่าเรือ อ.บางสะพาน จ.ประจวบฯ ได้ประสบเหตุเรือมีอาการเอียง เนื่องจากคลื่นลมแรง มีน้ำทะเลไหลเข้าระบบเครื่องไฟฟ้า ทำให้ไฟฟ้าดับ เครื่องจักรใหญ่หยุดทำงาน ควบคุมเรือไม่ได้ และน้ำเข้าภายในตัวเรืออย่างรวดเร็วจนเรือเอียง pic.twitter.com/qqians03cK
— กองทัพเรือ ROYAL THAI NAVY (@prroyalthainavy) December 18, 2022
એરફોર્સની મદદથી આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. નેવીએ અકસ્માતનું કારણ સમજવા માટે તપાસ શરૂ કરી છે.
નૌકાદળના પ્રવક્તા એડમિરલ પોગક્રોન્ક મોન્થાર્ડપ્લીને બીબીસીને જણાવ્યું હતુ કે, “આપણા ઇતિહાસમાં કદાચ આવું ક્યારેય બન્યું નથી, ખાસ કરીને એવા જહાજ સાથે જે સક્રિય અને ઉપયોગમાં છે.”
અધિકારીઓનું કહેવું છે કે જહાજમાં પાણી ભરાવાના કારણે શોર્ટ સર્કિટ થયું હતું. પાવર ફેલ થયો હતો અને ક્રૂએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે રવિવારે સ્થાનિક સમય અનુસાર 23.30 વાગ્યે ડૂબી ગયો હતો.
ชี้แจงกรณี #เรือหลวงสุโขทัย (ต่อ) ทร. สั่งการเรือหลวงอ่างทอง เรือหลวงภูมิพล เรือหลวงกระบุรี เฮลิคอปเตอร์จำนวน 2 ลำ พร้อมชุดป้องกันความเสียหาย เข้าช่วยเหลือเป็นการด่วน ปัจจุบัน เรือหลวงกระบุรี ได้เดินทางไปถึงจุดเกิดเหตุแล้ว อยู่ระหว่างเร่งให้ช่วยเหลือกำลังพลของเรือหลวงสุโขทัย pic.twitter.com/CWUZQzfjHt
— กองทัพเรือ ROYAL THAI NAVY (@prroyalthainavy) December 18, 2022
જહાજ પ્રચુપ ખેરી ખાન પ્રાંતમાં બેંગ સફાનથી 32 કિમી પૂર્વમાં પેટ્રોલિંગ પર હતું ત્યારે તે વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. થાઈ નેવીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર રાહત કાર્યની તસવીરો પોસ્ટ કરી છે.
Advertisement