ગુજરાતના નવાનગર (જામનગર)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી; ભારતે તો તેમણે ભુલાવી દીધા પરંતુ પોલેન્ડે તેમણે ઇતિહાસના પાનામાં સમાવી લીધા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મહારાજાએ હજારો અનાથ પોલિશ બાળકોને નવાનગરમાં રક્ષણ આપ્યુ હતુ, તેમની યાદમાં આજે પોલેન્ડમાં એક સ્કૂલ છે. એક ચાર રસ્તાનું નામ તેમના નામ પર છે અને તેમનું સ્ટેચ્યૂ પણ ત્યા છે. ભારતમાં પોલેન્ડના વર્તમાન રાજદૂત એડમ બુરાકોવ્સ્કી આ સ્કૂલના વિદ્યાર્થી રહ્યા છે.
Advertisement
Advertisement
એડમ બુરાકોવ્સ્કીએ કહ્યુ, વર્ષ 1939માં પોલેન્ડ પર જર્મની અને સોવિયત સંઘની સહયોગી સેનાઓએ આક્રમણ કર્યુ હતુ. પોલેન્ડના પૂર્વ ભાગ સોવિયતના કબજામાં હતુ. સોવિયત સંઘે લાખો પોલેન્ડવાસીઓને સાઇબેરિયાની મૃત્યુ શિબિરોમાં મોકલી દીધા હતા. 1941માં, જ્યારે જર્મનીએ સોવિયત સંઘ પર પણ હુમલો કરી દીધો ત્યારે આ લોકોને સાઇબેરિયા છોડવાની પરવાનગી મળી હતી.
એડમ બુરાકોવ્સ્કી કહે છે, દેશનિકાલમાં રહેલી પોલિશ સરકારે આ શરણાર્થીઓ માટે અનેક આશ્રયસ્થાનોનું આયોજન કર્યું હતું. ભારતમાં બે આશ્રયસ્થાનો હતા. એક ગુજરાતમાં નવાનગર (હવે જામનગર)માં, જ્યાં એક હજાર પોલિશ બાળકો હતા. બીજું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હતું જ્યાં પાંચ હજાર લોકો માટે જગ્યા હતી. જામનગર અને કોલ્હાપુર બંને રાજવી પરિવારોએ તે આશ્રયસ્થાનો ચલાવવામાં મદદ કરી અને તેમની સંભાળ રાખી.
ઇતિહાસકારો અનુસાર, સોવિયત સંઘે 1941માં એક માફીની જાહેરાત કરવામાં આવી હતી, જેની હેઠળ સાઇબેરિયામાં કેદ એક હજાર પોલીસ બાળકોને ડેથ કેમ્પમાંથી આઝાદ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તે બાળક યુદ્ધગ્રસ્ત પોલેન્ડ જઇ શકતા નહતા. અંતે નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહજી રણજીત સિંહજી જાડેજાએ આ મામલે દખલ કરવાનો નિર્ણય કર્યો હતો. બ્રિટિશ તંત્રના વિરોધ છતા જામ સાહેબ ઉભા રહ્યા હતા. 1942માં તેમણે પોલિસ શરણાર્થીઓના જહાજને રોજી નામના પોર્ટ પર ડૉક કરવાનો આદેશ આપ્યો, જે તેમના વિસ્તારમાં આવતો હતો, તેમણે કુલ 640 શરણાર્થીઓની મદદ કરી હતી જેમાં મહિલા અને બાળક બન્ને સામેલ હતા.
મહારાજના સમ્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહેલા બાલાચડી શિબિરમાં એક પોલીસ શરણાર્થીએ જણાવ્યુ કે મહારાજાએ આ સુનિશ્ચિત કર્યુ કે પોલિશ શરણાર્થી ત્યા ઘર જેવો અનુભવ કરે, તેમણે એમ પણ સુનિશ્ચિત કર્યુ કે તેમણે ભોજનથી લઇને પથારી સુધી જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
પોલેન્ડ સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને નેશનલ હેરિટેજ ઓફ ધ રિપબ્લિક ઓફ પોલેન્ડથી નાણા પોષિત અને પોલેન્ડની સાંસ્કૃતિક વિરાસતોનું સંરક્ષણ કરનારી સંસ્થા કલ્ચર ડૉટ પીએલ મહારાજા વિશે લખે છે, સોવિયત સંઘમાં બાળકોને જે નર્કનો અનુભવ કરવામાં આવ્યો હતો, તેની તુલનામાં તેનો નવો માળ સ્વર્ગ જેવો લાગી રહ્યો હતો. મહારાજે નવાગંતુકોના આ શબ્દો સાથે સ્વાગત કર્યુ, હવે તમે અનાથ નથી. હવેથી તમે નવાનગરી છો, અને હું બાપૂ, તમામ નવાનગરિઓનો પિતા, માટે હું તમારો પિતા પણ છું.
મહારાજે બાળકો માટે શયનગૃહ બનાવ્યા, જેમાં પ્રત્યેકમાં અલગ પથારી હતી. તેમણે પોતાના ગેસ્ટ હાઉસમાં બાળકો માટે શાળા ખોલી. તેઓ પોતાની માતૃભાષાને ભૂલી ન જાય તે માટે પોલિશ પુસ્તકો સાથે એક ખાસ પુસ્તકાલય ઊભું કરવામાં આવ્યું હતું. તેઓ અવારનવાર નાટકોનું મંચન કરતા હતા, જેમાં દિગ્વિજયસિંહજી હંમેશા ભાગ લેતા હતા. બાળકો ફૂટબોલ, વોલીબોલ, ગ્રાસ હોકી પણ રમ્યા અને તેમના રોકાણ દરમિયાન કેમ્પિંગમાં ગયા. જ્યારે 1946 માં યુદ્ધ સમાપ્ત થયું અને બાળકોને યુરોપ પાછા ફરવું પડ્યું, ત્યારે બાળકો અને મહારાજા બંને ખૂબ રડ્યા.
દિગ્વિજયસિંહજીએ ક્યારેય તેમની મદદ માટે નાણાકીય વળતરની વિનંતી કરી નથી. તેમની એકમાત્ર ઇચ્છા, જેનો તેમણે પોલિશ જનરલ વેડિસો સિકોર્સ્કી સાથેની વાટાઘાટો દરમિયાન ઉલ્લેખ કર્યો હતો, તે સ્વતંત્ર પોલેન્ડમાં તેમના નામે એક રોડ બનાવવાની હતી. દુર્ભાગ્યે, તેમના જીવનકાળ દરમિયાન તેમનું સ્વપ્ન સાકાર ન થયું. સામ્યવાદી શાસન લાલ સૈન્યના અત્યાચારો સ્વીકારવા તૈયાર ન હતું.
જોકે, 1989માં પોલેન્ડ સંપૂર્ણ સ્વતંત્ર દેશ બન્યું ત્યારે મહારાજનું સ્વપ્ન સાકાર થયું. પોલેન્ડની રાજધાની વોર્સોમાં એક ચાર રસ્તાનું નામ દિગ્વિજસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. 2012 માં, શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર ઓચોટામાં એક નાનકડા ઉદ્યાનને “ગુડ મહારાજા” નામ આપવામાં આવ્યું હતું. તેમને સમર્પિત એક સ્મારક પણ અહીં બનાવવામાં આવ્યું હતું. તેમને મરણોત્તર કમાન્ડર ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ, પોલેન્ડનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. તેમના નામે વોર્સોમાં એક શાળા પણ બનાવવામાં આવી છે.
રાજદૂત એડમ બુરાકોવ્સ્કીએ કહ્યું કે મહારાજા દિગ્વિજયસિંહજીની વાર્તા પોલેન્ડ-ભારત સંબંધોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. દ્વિપક્ષીય બેઠકો દરમિયાન હંમેશા તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અમે 2018માં જામનગરમાં અને 2019માં કોલ્હાપુરમાં પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં રાજવી પરિવારોના વંશજોએ હાજરી આપી હતી. અમે ‘મહારાજાના બાળકો’ એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં આશરો આપનારાઓને પણ આમંત્રણ આપ્યું હતું.
પોલેન્ડના રાજદૂતે કહ્યું કે, આજકાલ અમે યુક્રેનથી આવેલા શરણાર્થીઓની દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છીએ. યુક્રેનમાંથી લાખો શરણાર્થીઓ પોલેન્ડ આવ્યા છે. તેમાં 6 હજાર ભારતીય વિદ્યાર્થીઓ હતા, જેઓ ઓપરેશન ગંગા દરમિયાન પોલેન્ડ થઈને ભારત પાછા આવ્યા હતા. તે પોલિશ-ભારતીય સહકારનું ઉત્તમ ઉદાહરણ હતું. પોલેન્ડમાં આજે ટીકાકારો કહે છે: આપણો દેશ “મહાન દયાળુ મહારાજા” બની ગયો છે. મારી પાસે ખૂબ જ સરળ સંદેશ છે. લોકો માટે દયાળુ અને મદદરૂપ બનો. આમ કરવાથી દરેક દયાળુ મહારાજા બની શકે છે.
Advertisement