નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજિજૂએ કહ્યુ કે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ‘મહાભારત’ નથી ચાલી રહી અને લોકતંત્રમાં ચર્ચા થાય છે. એક કાર્યક્રમમાં બોલતા કાયદા મંત્રીએ કહ્યુ કે મુખ્ય જજ (CJI) ડીવાય ચંદ્રચૂડના સંપર્કમાં છે અને બન્ને વચ્ચે નાનાથી લઇને મોટા સુધી દરેક મુદ્દા પર વાતચીત થાય છે, તેમનું આ નિવેદન સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે આવ્યુ છે.
Advertisement
Advertisement
સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહ્યો છે ટકરાવ
છેલ્લા કેટલાક સમયથી જજોની નિયુક્તિને લઇને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. સરકાર જજોની નિયુક્તિની વર્તમાન પ્રક્રિયાથી સંતૃષ્ટ નથી અને તેમણે CJIને પત્ર લખીને કૉલેજિયમમાં સરકારના પ્રતિનિધિ નિયુક્ત કરવાની માંગ કરી છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ પણ સુપ્રીમ કોર્ટના એક જૂના નિર્ણય પર સવાલ ઉઠાવી ચુક્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ કૉલેજિયમનો બચાવ કરતા તેમણે યોગ્ય વ્યવસ્થા ગણાવી રહ્યુ છે.
જજોએ ચૂંટણીમાં નથી ઉતરવાનું હોતુ- રિજિજૂ
પોતાના સંબોધન દરમિયાન રિજિજૂએ કહ્યુ કે નેતાઓની જેમ જજોએ ચૂંટણી નથી લડવી પડતી, તેમણે કહ્યુ, “એક જજ એક વખત જજ બને છે અને તેને ફરી ચૂંટણી નથી લડવી પડતી. જનતા જજોની સમીક્ષા નથી કરી શકતી, માટે મે જજો માટે કહ્યુ કે જ્યારે લોકો તેમણે નથી ચૂંટતા પરંતુ લોકો તેમણે જુવે છે, તેમના નિર્ણયને, તેમના કામ કરવા અને ન્યાય આપવાની રીતને જુવે છે.”
CJIને પત્ર મોકલવો મારૂ કર્તવ્ય હતુ- રિજિજૂ
રિજિજૂએ કહ્યુ કે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે કોઇ ટકરાવ નથી. જો વાતચીત અને ચર્ચા નહી થાય તો આ કેવુ લોકતંત્ર છે? જો સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે મતભેદ છે તો કેટલાક લોકો તેને મહાભારત તરીકે રજૂ કરે છે પરંતુ એવુ નથી. બીજી તરફ CJIને મોકલવામાં આવેલા પત્ર વિશે રિજિજૂએ કહ્યુ કે આમ કરવુ તેમનું કર્તવ્ય હતુ. મહત્વપૂર્ણ છે કે રિજિજૂએ કૉલેજિયમમાં સરકારી પ્રતિનિધિને સામેલ કરવાની માંગ કરી હતી.
જજો પર હોય છે જનમતની અસર- રિજિજૂ
પૂર્વ CJI એનવી રમન્નાના જજોની ટિકાને લઇને સરકારને મોકલવામાં આવેલા પત્રનો સંદર્ભ આપતા રિજિજૂએ કહ્યુ કે જજ તેમના નિર્ણય સંભળાવતા સમયે સાવધાન હોય છે જેમની પર લોકોની કડક પ્રતિક્રિયા મળી શકે છે.
કાયદા મંત્રીએ કહ્યુ કે જજ આવા નિર્ણય નથી આપતા, જેમની પર સમાજ કડક પ્રતિક્રિયા આપે છે. અંતે જજ પણ માણસ છે અને લોકોના વિચારની તેમની પર અસર થાય છે.
કાયદા મંત્રીએ શેર કર્યુ હતુ રિટાયર જજનું નિવેદન
દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ આરએસ સોઢીનો એક વીડિયો રિજિજૂએ શેર કર્યો હતો, જેમાં તે કહી રહ્યા હતા, “સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત બંધારણને તે સમયે હાઇજેક કર્યો જ્યારે તેમણે કહ્યુ કે તે જજોની નિયુક્તિ કરશે અને સરકારની તેમાં કોઇ ભૂમિકા નહી હોય.” તેને શેર કરતા તેમણે લખ્યુ હતુ કે મોટાભાગના લોકોનું આ જ માનવુ છે, તેમના આ નિવેદનને સુપ્રીમ કોર્ટ દ્વારા સાર્વજનિક કરવામાં આવેલી આપત્તિઓનો જવાબ માનવામાં આવ્યો હતો.
Advertisement