ભોપાલ: મધ્યપ્રદેશના બેતુલ પરતવાડા રોડ પર બસ અને ટવેરા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. ટવેરામાં સવાર 11 લોકોના મોત થયા હતા. 7ના મૃતદેહને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ટવેરાને કાપીને 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
Advertisement
Advertisement
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતક મજૂરો હોવાનું જણાય છે. આ ઘટના ઝાલર પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર ગુડગાંવ પાસે બની હતી.
27 ઓક્ટોબરે જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાંડિયા ટોલ પ્લાઝા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક ટવેરા કાર બેકાબુ થઈને ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 4 મહિલા અને 1 બાળક સહિત 5 લોકોના મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
14 ઓક્ટોબરે, સુલતાનપુર જિલ્લાના હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌથી ગાઝીપુર સુધીના 304 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર તરફ જઈ રહેલી BMW કારને લખનૌ તરફથી આવી રહેલા કન્ટેનર સાથે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્યા હતા અને કારના ફુરચા ઉડી ગયા હતા.
Advertisement