ભોપાલ: મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મુસ્લિમ સમાજના એક 10 વર્ષના બાળકને માર મારવાની ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ બાળકને જય શ્રીરામનો નારો લગાવવા કહ્યુ હતુ અને ઇનકાર કરાતા તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે બાળકના પરિવારજનોની ફરિયાદના આધારે એક વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે.
Advertisement
Advertisement
શું છે આખી ઘટના?
આ ઘટના ખંડવાના પંધાના પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પરિવારજનોએ કહ્યુ કે બાળક ધોરણ-5નો વિદ્યાર્થી છે અને ટ્યૂશન માટે ઘરેથી નીકળ્યો હતો. તે સમયે કોલોનીમાં રહેતા એક વ્યક્તિએ બાળકને રોક્યો હતો અને તેને જય શ્રીરામ બોલવા કહ્યુ હતુ. બાળકે ઇનકાર કરતા વ્યક્તિએ તેને માર માર્યો હતો. બાળકે ડરીને જય શ્રીરામના નારા લગાવ્યા હતા અને તે પછી વ્યક્તિએ તેને જવા દીધો હતો.
ધાર્મિક ભાવનાને ઠેસ પહોચી- બાળકના પિતા
બાળકના પિતાએ જણાવ્યુ કે તેમનો પુત્ર ઘટનાથી ડરેલો છે અને તેમણે પોલીસને આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે, તેમણે કહ્યુ કે તેનાથી તેમની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચી છે. બાળકના પિતાએ કહ્યુ કે આરોપી પહેલાથી જ બાળકને ઓળખતો હતો. મહત્વપૂર્ણ છે કે બાળક જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતો હતો.
પોલીસે વિવિધ કલમ લગાવીને કેસ દાખલ કર્યો
પોલીસે બાળકના પિતાની ફરિયાદ પર આરોપી વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપી વિરૂદ્ધ IPCની કલમ 295 A (ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડવાના ઉદ્દેશ્યથી જાણી જોઇને અને દુર્ભાવનાપૂર્ણ કામ), 323 (જાણી જોઇને ઇજા પહોચાડવા માટે સજા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની તપાસ બાદ કાર્યવાહીની વાત કરી છે.
Advertisement