ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ ભાજપ દ્વારા કાપવામાં આવી છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા છે અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ ચૂંટણી જીતતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટણી જીત્યા બાદ તે ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. મધુ શ્રીવાસ્તવને સાતમી વખત ચૂંટણી લડવી છે. જોકે, ભાજપે ટિકિટ ના આપતા તેઓ ફરી એક વખત આ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે.
મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે, ભાજપે વાત કરી નથી, ભાજપે અગાઉ વાત કરી દીધી હોત કે ટિકિટ નહી મળે ફોર્મ ના ભરતા, મે ફોર્મ માંગ્યુ અને ભર્યુ પછી મારૂ નામ કાપ્યુ છે એટલે મારા કાર્યકર્તા નારાજ છે એટલે મારે ચૂંટણી લડવી પડશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપના 160 બેઠક પર ઉમેદવારના નામ જાહેર, જાણો કઇ બેઠક પર કોણે મળી ટિકિટ
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આ પહેલા વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવતા નારાજગી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી છ વખતથી ચુંટાયા છે.
વાઘોડિયા બેઠક પર ભાજપે અન્ય ઉમેદવાર ઉતાર્યો
વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન નટવરભાઇ પટેલને ટિકિટ આપી છે.
Advertisement