નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઉપ રાજ્યપાલ પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે 10 મનોનીત કોર્પોરેટરને લઇને ઉપ રાજ્યપાલ પર સવાલ ઉભા કર્યા છે અને એક પત્ર લખ્યો છે. કેજરીવાલે ભાજપના પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ તેમણે ઉપ રાજ્યપાલ પર ભાજપના પક્ષમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement
Advertisement
દિલ્હીમાં મેયર ચૂંટણીને લઇને કેજરીવાલે કહ્યું, “દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને 2 કરોડ લોકો માટે કામ કરવા દો. બંધારણને મજબૂત કરવાનું કામ કરો.” કેજરીવાલે કહ્યુ કે સૌથી સીનિયર કોર્પોરેટરને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે, જ્યારે આ મામલે પણ એલજી (ઉપ રાજ્યપાલ) ભાજપના કોર્પોરેટરને પ્રોટેમ સ્પીકર બનાવવાનું કામ કર્યુ છે.
મહત્વપૂર્ણ છે કે 6 જાન્યુઆરીએ દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા યોજાવાની હતી જોકે, ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે ઝઘડો થતા તેને સ્થગિત કરી દેવામાં આવી હતી.
શું છે ઘટના?
દિલ્હી મેયર ચૂંટણી માટે મતદાન શરૂ થયા પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે હંગામાને કારણે MCD સદન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કોર્પોરેટરો વચ્ચે મારામારી પણ થઇ હતી અને સદનમાં ખુરશીઓ ઉછળી હતી. કેટલાક કોર્પોરેટર ટેબલ પર ચઢી ગયા હતા.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મનોનીત સભ્યોને પહેલા શપથ અપાવવાનો વિરોધ કરી રહ્યા હતા. આ પહેલા આમ આદમી પાર્ટીએ એલજી દ્વારા મેયર ચૂંટણી માટે ભાજપના કોર્પોરેટર સત્યા શર્માને ચૂંટણી અધિકારી નિયુક્ત કરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી
Advertisement