નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીના નિધન બાદ રાષ્ટ્રપતિ સહિતના નેતાઓ તરફથી પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પીએમ મોદીના ટિકાકાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર હીરાબાના નિધન પર ટ્વીટ કરતા સંવેદના વ્યક્ત કરી હતી. નેપાળના વડાપ્રધાને પણ પીએમ મોદીના માતાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ હતુ.
Advertisement
Advertisement
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ વડાપ્રધાન મોદીના માતા હીરાબાના નિધન પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના 100 વર્ષના સંઘર્ષપૂર્ણ જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીએ માતૃદેવોભવની ભાવના અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઢાળ્યા છે. હું પુણ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છુ. પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ કે તે સાદગીના પ્રતિક હતા.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યુ,
“વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતાજી શ્રીમતી હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયમાં હું તેમણે અને તેમના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરૂ છુ.”
આ પહેલા રાહુલ ગાંધીએ હીરાબાનું સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચાર પર ટ્વિટ કર્યુ હતુ. રાહુલ ગાંધીએ લખ્યુ હતુ- એક માં અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે. મોદીજી, આ કઠિન સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરૂ છુ કે તમારા માતાજી જલ્દી સ્વસ્થ થઇ જાય.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
મલ્લિકાર્જુન ખડગેએ લખ્યુ,
હીરાબેન મોદીના નિધનના સમાચાર સાંભળીને દુખી છું, પીએમ નરેન્દ્ર મોદીના માતાના નિધન પર તેમના પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. દુખના આ સમયમાં અમારા વિચાર અને પ્રાર્થનાઓ પુરા પરિવાર સાથે છે.
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ- ઇશ્વર સ્વર્ગિય પુણ્યાત્માના શ્રીચરણોમાં સ્થાન આપે અને શ્રી નરેન્દ્ર મોદીજી અને તેમના પરિવારના સભ્યોને પીડાના આ સમયમાં સાહસ આપે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવથી લઇને બસપા સુપ્રીમો માયાવતી, એનસીપીના ચીફ શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓએ સંવેદના વ્યક્ત કરી હતી.
એનસીપી ચીફ શરદ પવારે લખ્યુ-
નરેન્દ્ર ભાઇ, હું તમારી માતાના નિધનના સમાચાર સાંભળીને દુખી છુ. આ એક અપૂર્ણિય ક્ષતિ છે. મારી સંવેદનાનો સ્વીકાર કરો.
આરજેડીના તેજસ્વી યાદવે કહ્યુ કે, ઇશ્વરને પ્રાર્થના કરૂ છુ કે પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન તથા પરિવારજનોને દુખની આ ઘડીમાં ધૈર્ય ધારણ કરવાની શક્તિ આપે, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શોક વ્યક્ત કરતા ટ્વીટ કરતા લખ્યુ,
પરોપકાર, રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યપરાયણતા અને નિશ્ચલ સેવા ભાવ જેવા સંસ્કારોને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંદર પોષિત કરનાર તેમના પૂજ્ય માતાજીના નિધનની સૂચના મેળવીને સ્તબ્ધ છું. ઇશ્વર હીરાબાની પુણ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરતા તેમણે ભક્તિ, તપસ્યા અને કર્મની ત્રિવેણી ગણાવી હતી.
જગન મોહન રેડ્ડીએ ટ્વીટ કર્યુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મારી ઉંડી સંવેદના, આ કઠિન સમયમાં મારી સંવેદના અને પ્રાર્થનાઓ પરિવાર સાથે છે.
કુમાર વિશ્વાસે પણ શોક વ્યકત કરતા ટ્વીટ કર્યુ, માં-પિતા અને ગુરૂ ક્યારેય સ્વર્ગીય નથી થતા.
Advertisement