એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ ઉનાળું વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ થઈ ગયું છે. હવે છેલ્લી ઘડીએ બૂકિંગ કરાવતા પ્રવાસીઓને ટ્રેન, બસ કે હવાઈ મુસાફરીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉનાળાના વેકેશન માટે ફેબ્રુઆરીથી જ અનેક લોકોએ રેલવે, એર ટિકિટ બૂક કરાવી દીધી હતી. હિલસ્ટેશન અને ધાર્મિક સ્થાનો પર પ્રવાસીઓ વધુ જતા હોય છે. હાલ અયોધ્યા માટે પ્રવાસીઓનો ધસારો વધારે જોવા મળે છે. અમદાવાદથી અયોધ્યા માટેનું વેઈટિંગ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં 300થી વધુ થઈ ગયું છે.
જાણકારોના મતે એપ્રિલના અંતિમ સપ્તાહ સુધીમાં 400ની પાર જઈ શકે છે. અત્યંત લાંબુ વેઈટિંગ તેમાં પણ દિલ્હી, ગોરખપુર, પ્રયાગરાજ, આગ્રા, હરિદ્વાર અને જમ્મુનો સમાવેશ થાય છે.
એરપોર્ટ પરથી માહિતી અનુસાર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં જતા લોકો અમદાવાદથી દેહરાદૂન દૈનિક સીધી ફ્લાઈટથી મુસાફરી કરી શકે છે. આ વેકેશનમાં જમ્મુની ડાયરેક્ટ ફ્લાઈટથી યાત્રાધામ વૈષ્ણોદેવી જવાનું સાવ સરળ બન્યું છે.
ડેલહાઉસી, ધરમશાલા અને હિમાચલ પ્રદેશના અન્ય સ્થળોના પ્રવાસ માટે જમ્મુ શ્રેષ્ઠ સ્થળ છે. હાલ અમદાવાદથી વન વે એરફેર જોવા જઈએ તો દિલ્હીનું રુ.7346, મુંબઈનું 5794, કલકત્તાનું રુ.10714, હૈદરાબાદનું રુ.9044, વારાણસીનું રુ.7515, દેહરાદૂનનું રુ.12428 જોવા મળી રહ્યું છે.
આજવા સરોવરમાં જંગલી વનસ્પતિથી છૂટકારો મેળવવા વડોદરા મ્યુ. કોર્પો. અને MS યુનિવર્સિટી મોટી કામગીરી
Advertisement
Advertisement
વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહત્વના એક પૈકી ઐતિહાસિક આજવા સરોવરમાં દર વર્ષે જંગલી વનસ્પતિનો ઉપદ્રવ જોવા મળે છે અને તેનો નિકાલ માથાના દુખાવા સમાન કામગીરી છે.
આ વનસપ્તિ પાણીમાં સૂકાઈને પડી રહેતા કોહવાઈ જતા પાણી પીળા રંગનું થઈ જાય છે જેથી લોકો પાણી વાપરતા ગભરાય છે. કોર્પોરેશનની આ સમસ્યાથી છૂટકારો મળે તે માટે એમ.એસ. યુનિવર્સિટીના એન્વાયરમેન્ટલ સ્ટડી દ્વારા આ જંગલી વનસ્પતિના ઉપદ્રવને દૂર કરવા એક પ્રોજેક્ટ પર કામ શરુ કરાયું છે.
15 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. સામાન્ય રીતે તળાવોમાં જંગલી વનસ્પતિ નાઈટ્રેટ અને ફોસ્ફેટની હાજરી હોવાથી તેના વિકાસ થવામાં ખૂબ મદદરુપ રહે છે. આજવા સરોવરની આસપાસ ખેતરો છે. ખેતરોમાંથી પાણી વહીને તળાવમાં આવે છે. આ પાણીમાં નાઈટ્રેટ અને ફોસ્ફેટની હાજરી હોય છે, જે જંગલી વનસ્પતિનો ઉછેર થવામાં સહાય કરે છે. જંગલી વનસ્પતિનો નાશ કરવા કેમિકલ મળે જ છે પરંતુ આજવાનું તળાવ પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી તળાવમાં કેમિકલનો ઉપયોગ શક્ય નથી.
હવે આ સમસ્યાના નિવારણ માટે ખેતરોનું પાણી તળાવમાં ન ઠલવાય તે માટે આસપાસના ખેતરો અને જમીન વિસ્તારનું પાણી આવતું બંધ કરવાનું પણ તેઓને સૂચના અપાઈ છે.
Advertisement