2016માં થયેલી નોટબંધીમાં સાડા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેની અસર કાપડ, હીરા અને રિઅલ એસ્ટેટ પર પડી હતી. જાણકારોના મતે બીજી નોટબંધીની સીધી અસર કાળુ નાણું જ્યાં વધારે ફરે છે એવા હિરા, કાપડ અને રિઅલ એસ્ટેટ પર પડશે. આ બે ક્ષેત્રના લોકોને સૌથી વધુ હાલાકી પડી હતી.
Advertisement
Advertisement
સુરતમાં હિરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં રોકડનો વ્યવહાર વધારે છે એટલે સીધી અસર અહીં પડી શકે છે. આ ઉપરાંત બે નંબરી સંગ્રહખોરી હોય તેવો વિભાગ રિઅલ એસ્ટેટનો છે. આજે વહેલી સવારથી જ લોકોએ બેંકોમાં લાઈનો લગાવવાનું ચાલુ કરી દીધું હતું.
આ નોટબંધીમાં જમા કરવાની રાશી એકવારમાં 20 હજાર રૂપિયા છે એ રીતે જોતા એક વ્યક્તિ રોજના 20 હજાર રૂપિયા જમા કરાવે તો પચીસ લાખ જેટલી રકમ જમા કરાવી શકે છે. આંગડીયા અને જ્વેલર્સે આ વખતે પૈસા લેવાની ના પાડતા હવે આંગડીયા પેઢીનો આધાર લેનારા લોકો પણ વિમાસણમાં મુકાયા છે. શનિવારનો દિવસે સપ્તાહ દરમ્યાન કરવામાં આવેલા સૌથી વધુ હવાલા પડતા હોય છે. પરંતુ સાંજથી જ આંગડીયા પેઢીઓએ પૈસા લેવાની ના પડતા પૈસા મોકલનારાઓની ચિંતાઓ વધી ગઈ છે. વધુમાં આ ગાળામાં લૂંટનો ભય પણ રહેતો હોય છે.
ગઈકાલથી જ્યારના આ ન્યૂઝ વહેતા થયા છે ત્યારના બે નંબરી પૈસાની હેરાફેરી કરનારાની ઊંઘ હરામ થઈ ગઈ છે. જો તેઓ મોટી રકમ જમા કરાવે તો પણ મુશ્કેલીમાં મુકાય કારણ કે તમામ માહિતી ઈન્કમટેક્સ વિભાગ સાથે ઈન્ટરલિંક છે
હાલમાં નોટબંધીને લઈને સુરતનું હિરા બજાર સૌથી વધુ ચિંતિત છે. જાણકારોના મતે 2000ની નોટ પાછી ખેંચાવાને કારણે શેરબજાર પર કોઈ અસર નહીં થાય.
હાલમાં નોટબંધીને લઈને સુરતનું હિરા બજાર સૌથી વધુ ચિંતિત છે. જાણકારોના મતે 2000ની નોટ પાછી ખેંચાવાને કારણે શેરબજાર પર કોઈ અસર નહીં થાય.
Advertisement