દરેક વ્યકિતમાં કોઇને કોઇ ખૂબ હોય છે અને તેનાથી આગવી ઓળખ મળતી હોય છે ત્યારે ગુજરાતના પોરબંદર શહેરના સાંદિપની શ્રીહરિ મંદિરે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારી પ્રફુલભાઇ સાણથરા નરગીસ નામના વૃક્ષનાં પાનને મુખમાં રાખીને પક્ષીઓનો સુમધૂર અવાજ કાઢવાની કુદરતી બક્ષિસથી પક્ષીપ્રેમીમાં એક આગવી નામના મેળવી છે. પક્ષીપ્રેમીઓ પણ ભાવવિભોર થઇને અવાજ સાંભળવા માટે મશગુલ બની જાય છે.
Advertisement
Advertisement
પક્ષીઓના વિવિધ અવાજ કાઢવાની અનેરી સિદ્ધિને લઇને લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યા છે. પોરબંદરમાં હરિમંદિરના દર્શને આવતા સહેલાણીઓ દર્શન કરીને સાંદિપની પરિસરમાં બગીચાઓમાં ટહેલતા પક્ષીઓના જુદા-જુદા અવાજો સાંભળીને આ પક્ષીઓને શોધવાનો પ્રયત્ન કરે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ કહે છે કે, આ પક્ષીઓના અવાજો હું મુખેથી કાઢું છું આ વાત જાણીને સહેલાણીઓ અભિભૂત થઇ જાય છે.
સહેલાણીઓ પાછા પૂછે કે તમે આ કઇ રીતે શીખ્યા હતા. કોરોનાના સમયમાં હું અહીં ફરજ બજાવતો હતો ત્યારે પક્ષીઓનું સતત નિરીક્ષણ કરતો પછી પણ સફળતા મળી ન હતી. બાદમાં નરગીસ વૃક્ષનું મુખમાં પાન રાખીને પક્ષીઓના અવાજ કાઢવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી. આજે હું મોર, ટીટોંડી, કાબર, ચકલી, કોયલ, પોપટ, સહિતના સંખ્યાબંધ પક્ષીઓના સુંદર આબેહૂબ અવાજ કાઢીને લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. પક્ષીઓ પ્રત્યેનો આદાર પ્રેમ વ્યકિતના જીવનમાં પણ એક નવી દિશા આપી શકે છે તેમ પ્રફુલભાઇએ કહ્યું હતું
Advertisement