વેદ અને વેદ સંસ્કૃતિ આપણું ગૌરવ છે ત્યારે સંસ્કારીનગરી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયે સંસ્કૃતનો અભ્યાસક્રમ સંપૂર્ણ બંધ કરી દીધો છે. સામાન્ય રીતે કોઇ અભ્યાસક્રમમાં શિક્ષકો કે સ્ટુડન્ટ્સ ન હોય તો તેને બંધ કરવામાં આવે છે ત્યારે તેનાથી ઉલટી ગંગા સંસ્કૃત મહાવિદ્યાલયમાં જોવા મળી છે અને છેલ્લાં ૧૦ બંધ કરી દેવામાં આવ્યો છે. વેદ માટે દવ વર્ષે ૩૦ જેટલા સ્ટુડન્ટ્સ ફોર્મ ભરે છે અને ગત વર્ષે વેદમાં માસ્ટર ડિગ્રી માટે ૭, બેચલર ડિગ્રી માટે ૧૦ અને ડિપ્લોમાં માટે ૬ મળી કુલ ૨૩ સ્ટુડન્ટ્સે ફોર્મ ભર્યા હતા પરંતુ વેદનો અભ્યાસક્રમ બંધ છે તેવું કારણ આપીને આ ફોર્મ રદ્ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીને અને સંસ્કૃત મહાવિદ્યાલયના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રામપાલ શુક્લને વેદ અભ્યાસક્રમ પ્રત્યે કોઇ કારણથી અરૂચિ હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ અન્ય અભ્યાસક્રમોમાં બેચલર અને માસ્ટર મળીને જ્યોતિષમાં ૨૫, વાસ્તુમાં ૭, કર્મકાંડમાં ફક્ત બે ટેમ્પલ મેનેજમેન્ટમાં ૧૯ અને વ્યાકરણશાસ્ત્રમાં ૧૦ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે. આમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં કુલ મળીને ૬૦ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે જેમાંથી રેગ્યુલર સ્ટડી માટે માંડ ૧૦ જેટલા સ્ટુડન્ટ્સ આવે છે. જેની સામે વેદના એક, વ્યાકરણના એક અને જનરલ બે મળીને ચાર પરમેનેન્ટ, ૩ ટેમ્પરરી શિક્ષકો છે જ્યારે ૭ નોન ટિચિંગ સ્ટાફ છે. કુલ મળીને ૧૪ લોકોને સ્ટાફ છે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટની મનમાની એ હદે ચાલે છે કે શિક્ષકોના બદલે નોન ટિચિંગ સ્ટાફ અને સિનિયર સ્ટુડન્ટ્સને શિક્ષણની જવાબદારી સોંપવામાં આવે છે. એવી પણ ફરિયાદ છે કે, ખાનગી વેદશાળાના કાર્યક્રમોમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોંશે હોંશે પહોંચી જાય છે. બેદરકારના કેટલાક કિસ્સાઓ મુજબ અગાઉ તેઓએ પરીક્ષાના છેલ્લાં દિવસ સુધી પ્રશ્રપત્ર તૈયાર કર્યું ન હતું અને છેલ્લે પરીક્ષાના દિવસે બ્લેકબોર્ડ પર જ પ્રશ્રો લખીને પરીક્ષા લીધી હતી.
Advertisement
Advertisement
Advertisement